નહુશ બહુ મહાન રાજા હતો. તેની મહાનતાની કિર્તી એટલી
પ્રસાર પામી હતી કે એક દિવસ દેવોએ આવીને તેમના રાજા ઈન્દ્ર યાત્રા પર ગયા હોવાથી
તેમની ગેરહાજરીમાં તેમનાં નગર અમરાવતીના રાજા થવા આમંત્રણ આપ્યું.
નહુશ માટે આ બહુમાન ઘણી મોટી વાત હતી. અમરાવતીમાં તે
ઈન્દ્રના હાથી ઐરાવત પર સવારી કરતા, તેમને અપ્સરાઓનાં નૃત્ય સમયે પણ હાજર રહેવા મળતું. તે જ્યાં જ્યાં જતા
ત્યાં ત્યાં ગાંધર્વો તેમની સાથે રહેતા અને તેમને પસંદ પડે એવાં સંગીતથી તેમનું
મનોરંજન કરતા.કલ્પવૃક્ષની નીચે તેઓ બેસીને તેમની ઈચ્છાઓની કલ્પનાઓ કરતા. બધાં
સ્વપ્નોને સિદ્ધ કરતો ચિંતામણિ પણ તેમને આપવામાં આવ્યો હતો. સમય જતાં આ બધાં માન
અકરામે નહુશને ઘમંડી બનાવી દીધા.હવે તેમણે હુકમ કર્યો કે 'ઋષિઓ મારી પાલખી ઊપાડે.'
ઋષિઓ ઉમરમાં વૃદ્ધ પણ અનુભવ અને જ્ઞાનમાં ઉત્તમ ગણાતા. દેવો તેમને બહુ જ સન્માન પણ આપતા, પણ નહુશના હુકમનો અમલ કર્યા સિવાય ઋષિઓ પાસે કોઈ બીજો માર્ગ નહોતો. તેઓ
નહુશની પાલખી ઉપાડતા અને તેને જ્યાં જ્યાં જવું હોય ત્યાં ફેરવતા. આ ઋષિઓમાં એક
ઋષિ અગત્સ્ય હતા જે ઊંચાઈમાં થોડા નાના હતા. આ કારણે તેઓ અન્ય ઋષિઓ જેટલી ઝડપે
ચાલી નહોતા શકતા. તેથી તેઓ જ્યારે પાલખી ઉપાડવામાં હોય ત્યારે નહુશને ગમે તેટલી
ઝડપથી પાલખી આગળ ન વધી શકતી.
પાલખીની આ ધીમી ઝડપથી એક દિવસ નહુશ બહુ ગિન્નાયો. તેણે
અગત્સ્ય ઋષિને માથામાં લાત ઠોકી દીધી અને બરાડ્યો - 'સર્પ; સર્પ'.
સંસ્કૃતમાં સર્પ એટલે જલદી પણ થાય અને સાપ પણ થાય.હવે
ગુસ્સે થવાનો વારો અગત્સ્યનો હતો.તેણે નહુશને શ્રાપ દીધો કે તે પૃથ્વી પર સાપ બની
રહે.આમ દેવોએ જેને પોતાનો રાજા ગણ્યો હતો, તે હવે પૃથ્વી પર સાપ બનીને આમથી તેમ સરકીને જીવન પસાર કરતો હતો.
ઘણાં વર્ષો વીતી ગયાં. એક દિવસ પેટ પર સરકતા સાપના
અવતારવાળા નહુષનો ભેટો પાંડવો સાથે થઈ ગયો. તેણે પાંડવોને પોતાના પાશની ચૂડમાં
પકડી લીધા અને જો તેઓ તેને રાજધર્મનું રહસ્ય ન જણાવે તો તેમને આખાને આખા ગળી જવાની
ધમકી આપવા લાગ્યો. પાંડવોમાં જ્યેશ્ઠ એવા
યુધિષ્ઠિરે તેને જવાબ આપ્યો - 'પ્ર્જાએ જેને
ઊંચકીને ફરવું પડે એવી પાલખી જેવા રાજા ન બનવું જોઈએ, પણ રાજાએ એવી નાવ બનવું જોઈએ કે જેમાં બેસીને લોકો પોતાની સમસ્યાઓની નદી
પાર કરી શકે.' આટલું સાંભળતાં
નહુષે પાંડવોને પોતાની ચુડમાંથી મુક્ત કર્યા અને સાચો રાજ્ધર્મ સમજવાને કારણે તે
પણ પાછો સાપમાંથી નહુષ બની ગયો.
આપણા દેશમાં લગભગ આદિકાળથી રાજાઓ, કે હવેના સમયમાં નેતાઓ પણ, પોતાની જાતને
પાલખી જ માનતા રહ્યા છે. સામાન્ય લોકો તેમને કુર્નિશ બજાવતાં જાય અને પાલખીને
ઉપાડવા ટેકો કરતાં જાય એ સામાન્ય વર્ગની ફરજ અને શાસક વર્ગનો વિશેષાધિકાર બની
ગયાં.પરંતુ ખરેખર તો જરૂરી એ છે કે આજના સમયના નેતાઓ લોકો માટે નાવ બનીને તેમને
સમસ્યાઓના નદીઓ પાર કરાવવાની ભૂમિકા અપનાવે.આ સહેલું નથી. રાજગાદી ટકાવી રાખવી
જેટલી મુશ્કેલ નહીં હોય તેનાથી વધારે આજના
નેતાઓ માટે દર ચાર પાંચ વર્ષે ચુંટણીનાં મહાયુદ્ધો જીતીને ગાદી મેળવવાનું ગણી શકાય. લોકશાહીમાં લોકો પક્ષના ધોરણે વહેંચાઇ જાય
છે.પ્રદેશોને વોટબેન્કની જાગીરમાં ફેરવી કાઢવામાં આવે છે.
ભાગલાઓ થકી જે 'રાજા' સત્તા પર આવે
તે પોતાના રાજપાટને એકજૂટ કેમ કરીને રાખી શકે? આટલાં કપરાં કામમાં વળી વિરોધ પક્ષો દ્વારા સર્જાતાં કરવા ખાતર કરાતા
વિરોધનાં પૂરો, વાતે વાતે
આંદલનો છેડી પાડતાં અધીરાં નાગરીક-મુસાફરો અને સામાજિક કે ધાર્મિક કે
લૈંગિક લઘુમતીઓના પોતાના જીવન બચાવ માટેના
ઉધામા ઉમેરો તો મુશ્કેલીઓ અપરંપાર બની જવા લાગે . શાસકો અને શાસિતો એ બન્ને વર્ગ
એક જ આશાના તાંતણે બધાયા છે - જે ભયાનક ભયો તેમને સ્વપ્નામાંથી જગાડી દે છે તે આંખ
ખૂલી ગયા પછી સામે ન આવે.
‘ધ મિડ-ડે' માં મે ૧૮,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
v અસલ અંગ્રેજી લેખ,
Palanquin
for the King, or Boat for the People, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઓગસ્ટ
૩,
૨૦૧૪ના રોજ Indian Mythology
• Mahabharata
• Modern
Mythmaking • Society
ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૨૩, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો