ચર્ચ ઑવ આયર્લેન્ડના ૧૭મી સદીના આર્ચબિશપ ઑવ આર્મા જેમ્સ
અશ્શેરના જણાવ્યા મુજબ ઈશ્વરે દુનિયાની રચના ઇસવી સન પૂર્વે ૨૩ ઓક્ટોબર ૪૦૦૪ના રોજ
કરી હતી. તેમની આ ગણતરી બાઈબલનાં શાદ્બિક વાંચન પર આધારિત હતી.વૈજ્ઞાનિકો અને
ઇતિહાસવિદોએ જેમ્સ અશ્શેરની આ સાલવારીને ગંભીરતાથી ન લીધી. પરંતુ ઘણા રુઢિચુસ્ત
ખ્રીસ્તીઓ આ સાથે સહમત હતાં. આજે પણ
અમેરિકાની ઘણી શાળાઓમાં 'ઉત્ક્રાંતિ' વિષે ભણાવવામાં
નથી આવતું કેમ કે તે બાઈબલની વિરૂધ્ધ ગણાય છે. ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ - Indian Council of Historical
Research (ICHR)ના ૨૮-૬-૨૦૧૪ના
રોજ નવનિર્વાચિત અધ્યક્ષની રામાયણ અને મહાભારતને પુરા ણની નહીં પણ ઇતિહાસની દૃષ્ટિએ જોવાની આતુરતા આપણે આ સંદર્ભમાં જોવી જોઈએ.
સૌથી પહેલાં તો
આપણે 'પુરાણવિદ્યા'
વિષે સમજીએ. અંગ્રેજી શબ્દ પ્રયોગ mythology ગ્રીક શબ્દ `mythos’
પરથી આવ્યો છે. mythos’નો અર્થ છે 'કહાની'. શાસ્રીય ગ્રીક તત્ત્વચિંતકોએ mythos’ને બદલે logosને વધારે પસંદગી આપી. (Logosનો અર્થ જે તર્ક આધીન છે.) અમ ઇતિહાસ અને પુરાણ વચ્ચેનાં
મતાંતરનો જન્મ થયો.
તર્ક પર આધારિત
વિચારો ભૂલ થાપ ખવડાવે તેવા ખોટા હોય છે તેવી મોટા ભાગે સ્વીકારતી પૂર્વધારણા આ
કારણે પ્રસાર પામી. તેને કારણે એમ પણ
મનાવા લાગ્યું કે જે તાર્કિક છે તે લાગણીશીલ કરતાં ચઢિયાતું છે. નવજાગરણ પશ્ચાતના
વૈજ્ઞાનિકોએ ગ્રીક તર્કને પકડી લીધો પરંતુ તેને બાઈબલમાં ક્યાં ખોળવો તે તેમને ખબર
નહોતી. તેને પુરાણ કહેવાની કે તેમના ઈશ્વર યહોવાને ઝીઅસ કે ઍફ્રૉડાઈટની સાથે
મૂકવાની તેમની હિંમત નહોતી. પૃથ્વી
સૂર્યની આસપાસ ફરે છે અને નહીં કે સૂર્ય પૃથ્વીની એમ સાબિત કરવા બદલ રોમની અદાલતી
તપાસના હાથે ગેલેલીયોની જે હાલત થઈ હતી તેની તેમને ખબર હતી. ચાર્લ્સ ડાર્વીન પણ ધ ઓરીજિન ઑવ સ્પીસીઝ પ્રકાશિત
કરવાથી અચકાતા હતા. આમ બાઈબલને હકીકત સ્વરૂપે જોવામાં આવતું હતું. જેને પરિણામે, પવિત્ર ગર્ભધારણ (ધ ઇમૅક્યુલેટ કન્સેપ્શન The
Immaculate Conception) કે પુનરુજ્જીવન (રીસરેક્શન Resurrection) જેવા વિચારોને વૈજ્ઞાનિક દિમાગ માટે સ્વીકરવાનું
મુશ્કેલ હોવા છતાં ઈસુની ઐતિહાસિકતા પર ભાર મૂકાતો હતો.
એશિયા, આફ્રિકા અને અમેરિકામાં પોતાનાં થાણાં
સ્થાપતી વખતે સામ્રાજ્યવાદી સત્તાઓ પોતાની તકનીકી અને નૈતિક સરસાઈની તુમાખીમાં
હતી.પ્રાણીજગતની ફોટોગ્રાફી પર જેમ હલ બેરલ/કોર્બિસના મહદ પ્રકાશાનાધિકાર જોવા મળે
છે તેમ વિજ્ઞાન પર તેઓ પોતાના એકાધિકાર અને વિશ્વની એક માત્ર સાચી કહાની – બાઈબલ - સાથે લઈ આવ્યા હતા. તેમના માટે બીજી બધી સંસ્કૃતિની
પવિત્ર કથાઓ 'ખોટી ક્થાઓ'- માત્ર કપોળકલ્પિત માન્યતાઓ હતી જે
એ સંસ્કૃતિના અભણ લોકોને સાચી લાગતી હતી. ભારતમાં આવેલા શરૂ શરૂના સુધારાવાદીઓ પણ
આવી જ વ્યાખ્યા સ્વીકારી લીધી હતી.જેમ્સ ફ્રેઝર, મેક્ષ મ્યુલર, રોબર્ટ ગ્રેવ્સ, સિગમંડ ફ્રોઈડ, કાર્લ જંગ, કલૌડલેવી સ્ટ્રાઉસ કે મિર્સી
એલિઍડજેવા પુરુષ યુરોપિયનોએ આ કપોળક્લ્પિત માન્યતાઓ પર લખ્યું છે. કેટલાંકે તેને આદિ-ઇતિહાસ રૂપે
સૌમ્યોક્તિ તરીકે જોવાનું કર્યું તો બીજાં કેટલાંકે કુદરતી ઘટનાઓનું
વ્યક્તિગતનિરૂપણ અને દષ્ટાંતકથાઓ તરીકેનાં સાહિત્ય તરીકે જોવાનું કર્યું.
બીજાં કેટલાંકે તેને મનોવિશ્લેષ્ણની દૃષ્ટિએ દુનિયા
વિષેના મનોવૈજ્ઞાનિક પ્રતિભાવ કહ્યા તો વળી બીજાં કેટલાંકે તેને સંરચનાવાદની
દૃષ્ટિએ દુનિયાને વ્યવસ્થિત રૂપે રજૂ કરવાના પ્રયાસ કહ્યા.પુરાણોની આ સમગ્ર
ચર્ચામાં બાઈબલને અળગું રાખવામાં આવ્યું હતું.
હિંદુસ્તાનીઓએ પોતાની પવિત્ર કથાઓને ઈતિહાસ તરીકે જોવાને
બદલે પુરાણો તરીકે જોવાના અભિગમ પ્રત્યે અણગમો બતાવ્યો.
તેમનો અણગમો
બ્રિટિશ પ્રાચ્યવિદ્યાવિશારદો દ્વારા હિંદુસ્તાનની પર્વિત્ર કથાઓનું પુનઃઘડતર
માત્ર પુરાતત્ત્વ,
તત્ત્વજ્ઞાન અને શિલાલેખોને આધારે કરાતું હતું તેની સામે
હતો. સામાન્યતઃ જેમને હિંદુ વિચાસરણીના વિરોધનો સૂર ગણાય તેવા બૌદ્ધ ધર્મના સ્થાપક
ગૌતમ સાક્યમુનિ, બૌદ્ધ ધર્મનો અંગીકાર અને પ્રસાર કરનાર હિંદુ સમ્રાટ અશોક, મુસ્લિંમ શહેનશાહોનાં સ્મારકો કે હિંદુ લોકોએ જ વર્ણવાદને પોષીને ઘણી
પ્રજાનું શોષણ કર્યું એમ જણાવતા મનુસ્મૃતિ જેવા ગ્રંથોને એ લોકોએ વધારે આધારભૂત
ગણ્યાં તેને કારણે એ અણગમામાં ઉમેરો થતો
હતો. હિંદુ ઉચ્ચ વર્ણના સમાજનાં આત્મસન્માન અને આત્મગૌરવનાં વસ્ત્રોનાં હરણ જેવી
કક્ષાની રાજકીય ચાલ તેમાં ભળાતી હતી.આને કારણે જે ક્રોધાવેશ જન્મતો ગયો તેણે દરેક
ઐતિહાસિક તારણોને પણ રાજકીય રંગ ચડાવવાનૂ કામ કર્યું. અત્યારના ઈતિહાસવિદોના સમજી
વિચારીને કરાયેલલાં,
વ્યક્તિમૂલક કહી શકાય તેવાં,અર્થઘટનોને માહિતીસ્ત્રોતોથી અલગ રાખવાના બહુ સ્પષ્ટ પ્રયાસો છતાં, ભારતીય લોકો માટે ઇતિહાસ વિવાદાસ્પદ વિષય બની રહ્યો છે.
હિંદુ, બૌધ્ધ કે જૈન વિચારધારાઓને પાયામાં સાંકળતી પુનર્જન્મ કે કર્મના સિધ્ધાંતની
મહત્ત્વની કડી, અને તેની સામે બાઇબલની ઉત્પત્તિ (જિનેસીસ - Genesis)થી થતી જીવનની
શરૂઆત કે (સંત જોનને થયેલા) સાક્ષાત્કાર (એપૉકેલીપ્સ -
Apocalypse) કે (ઈસુના
બીજીવારનાં આગમન કારણે થયેલ) અત્યાનંદ (રેપ્ચર - Rapture)જેવી પૂર્વધારણાઓમાં જે મૂળભૂત અંતર છે તે બહુ લોકોના ધ્યાનમાં નથી ચડતું
દેખાતું. હિંદુ ઋષિઓએ હંમેશાં (શરૂઆત વિના)અનાદિ કે (અંત વિના) અનંત કે (સમયાતીત)
સનાતન જેવા અભૌતિક વિચારોને જ તેમની વિચારસરણીના કેન્દ્રમાં રાખેલ છે. હિંદુ
વિચારસરણીમાં શરીર,
સમય અને સ્થળની સીમાઓને અતિક્રમતાં મોક્ષ, કૈવલ્ય કે નિર્વાણને જીવશાસ્ત્ર, ઈતિહાસ કે ભૂગોળનાં જ્ઞાન અને સમજના પ્રધાન હેતુ તરીકે સ્વીકારાયાં છે.
માનવ મન (માનસ)અને તેના વિસ્તાર (બૃહ-માનસ)વડે 'એકમેવ સત્ય'નો ત્યાગ કરીને 'અનેકવિધ સત્યો'ના સ્વીકાર પર
ભાર મૂકાતો રહ્યો છે. જ્યારે છેદમાં અનન્ત
હોય ત્યારે ઐતિહાસિક હકીકતો અપ્રસ્તુત બની રહે છે. સમયાતીત રામ કે કૃષ્ણની
સરખામણીમાં સમયાધિન રામ કે કૃષ્ણનું મહત્ત્વ નથી રહેતું. મહત્ત્વ તર્કનું નહીં પણ માન્યતાનું
બની રહે છે. રામાયણ કે મહાભારતનું અર્થઘટન ('જે હતું તે' ) ઈતિહાસના મર્યાદિત અર્થમાં જોવાને બદલે વધારે પ્રચલિત, ('જે હતું તે થશે'ના સમયાતીત)સનાતન, સ્વરૂપમાં
કરવું ઘટે. દુનિયાને બહુ વિશાળ, સાવ જ જૂદા, અર્થમાં જોવાનો
આ દૃષ્ટિકોણ છે.પુરાણોને બદલે ઈતિહાસને પકડી રાખવાના ગાંડા જુસ્સામાં આપણે આ
ગ્રથોની ભવ્ય શાનની કદર કરવા અને તેને સમગ્ર દુનિયા સાથે વહેંચવાને બદલે કદાચ તેને
નકારી બેસીએ છીએ.
૧૯૭૦ના દાયકાના
અનુઅર્વાચીન અભ્યાસોમાં વ્યાખ્યાયિત કરાયા બાદ પુરાણશાસ્ત્રવિદ્યાની વ્યાખ્યા બદલી
નથી. ઈતિહાસવિદોનો સાંસ્કૃતિક પૂર્વગ્રહ તેમાં દેખાઈ આવે છે.આપણ જોઈ શકીએ છે કે
વિજ્ઞાન અને ભાષાએ જ પુરાણકથાઓનાં
સાંસ્કૃતિક જડતરથી વણાયેલ માળખાનું ઘડતર કરવામાં કેવા પ્રકારનો ફાળો આપ્યો છે.
કથાઓ, પ્રતિકો અને વિધિવિધાનોથી શબ્દબધ્ધ થતાં લોકોનાં વ્યક્તિલક્ષી સત્યનો આજે
પૌરાણિક શાસ્ત્રો અભ્યાસ ગણાય છે. તેના વડે વિશ્વની સંસ્કૃતિનું અંતરંગ દર્શન થાય
છે. વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં કેથોલિક્સ અને પ્રોટેસ્ટંટ્સ કે શિયા અને સુન્ની
જેવા વિવિધ સંપ્રદાયોના અભ્યાસની મદદથી આ બધાં વૃતાંતથી કેમ લોકોનાં મનનાં ઘડતર
થાય છે, કેમ સમુદાયોનું અંદરથી જોડતું જોડાણ રચાય છે અને કેમ ઓળખની રાજનીતિ આકાર લે
છે તે સમજવામાં આવી રહ્યું છે.
મનોવૈજ્ઞાનિકો, ચેતાતંત્રવૈજ્ઞાનિકો કે સમાજશાસ્ત્રવિદો બરાબર સમજે છે
કે કેમ, હાડોહાડ નાસ્તિક સુધ્ધાં, દરેકેદરેક વ્યક્તિને, પોતે જે
સંસ્કૃતિનો ભાગ છે તેની નાનેમોટે અંશે મદદ લઈને, દુનિયાની પોતાની આગવી સમજ કેળવવા માટે અને પોતાનું જીવન જીવવા માટે કોઇ એક
વૃતાંત, કોઈ એક માન્યતાની જરૂર પડે છે.
જોકે મોટા
ભાગનાં ભારતીયો તો પુરાણોની એ પૂર્વગ્રહયુક્ત વ્યાખ્યાને જ વળગી રહ્યાં છે. એટલે
જે લોકો ડબેરી વિચારધારા ધરાવે છે તે લોકો આપણાં મહાન વૃતાંતોને 'જૂઠાણા" માની ચૂક્યાં છે. સામે પક્ષે જે લોકો જમણેરી વિચારધારા ધરાવે
છે તેઓમાટે આ વૃતાંતો શાબ્દિક 'સત્ય' છે. બન્ને વિચારધારાઓ હજૂ સામાજ્યવાદી મનોવૃત્તિની બહાર
આવી નથી શકી, પરંતુ જો તેમને એવું કહીશું તો તેઓ ધરાર આ વાતનો અસ્વીકાર કરશે તે તો નક્કી
જ છે.
‘ધ મિડ-ડે' માં ૬ જુલાઈ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Dating the Divine.નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૯ માર્ચ, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો