કર્મના સિધ્ધાંત જેવું છે, હેં ને? ખૂબ ખંતપૂર્વક
મહેનત કરો, જે પણ કોઈ કામ
બતાવવામાં આવે તે ચીવટપૂર્વક પુરાં કરો, ક્ંપનીનાં મૂલ્યોથી જરા પણ ટસ કે મસ ન થાઓ, અપેક્ષિત વર્તણૂકનું આદર્શ ઉદાહરણ પણ બની રહો,અને તેમ છતાં એક દિવસ, જેનાં પર તમારો કોઈ જ અંકુશ ન હોય કદાચ એવાં, કોઈ અકળ કારણસર તમને ગુલાબી ચબરખી
પકડાવી દેવામાં આવે. સંસ્થાના દેવો માટે એ સંસ્થાના ઉદ્દેશ્યોને સિધ્ધ કરવા
માટે વ્યૂહાત્મક આવશ્યકતા છે, તમે તો તેમાં માત્ર નિમિત્ત છો. આજકાલ બહુ પ્રચલિત બનેલ 'ન્યાયોચિતતા'માં તમે આપણી પૌરાણિક માન્યયતાઓ
મુજબ અઠંગ માનનારાં છો, બહુવિધ કલ્યાણકારી કાયદાઓ પણ તમારી તરફેણમાં હોઈ શકે છે, તો પણ સારાં માણસો સાથે ખોટું બનતું જ રહે છે.અનેક
અન્યાયો અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ છતાં પણ બાઈબલના જૉબને માટે જેમ શ્રધ્ધા બનાવ્યે
રાખવાનું જરૂરી હતું , એમ તંત્ર આપણને
તબીબી શસ્ત્રક્રિયાની ચોકસાઇથી આપણને અળગાં પાડી દે તો પણ તમારે તો તંત્રવ્યવસ્થા
પર વિશ્વાસ રાખવાનો જ છે.
ગુલાબી ચબરખી
શબ્દપ્રયોગ વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં અમેરિકામા પ્રચલિત બન્યો. મૂળે તો એ
ત્રણ નકલમાં તૈયાર કરાતું એ એક ફોર્મ છે જેમાંથી
કર્મચારીનાં વેતનનાં પૅકેટમાં સરકાવી દેવાતી નકલનો રંગ ગુલાબી રહેતો.
ગુલાબી ચબરખી શબ્દપ્રયોગ અપશુકનિયળ ગણાવા લાગ્યો જે અણધાર્યા આવી પડી શકતો હતો કે
આવી પડતો હતો. એ સમયે હજૂ મજૂર સંગઠનો પણ બહુ પ્રચલિત નહોતાં થયાં. નોકરીમાંથી
અણધાર્યા ફારેગ કરવાને ચીનમાં 'સડસડાવીને તળેલ સ્ક્વિડ' કહેવામાં આવે છે.
ગુલાબી ચબરખી
સંસ્થાગત થવા માટે સંસાધનોનો સૌથી અસરકારક ઉપયોગ કરવાનો અભિગમ કારણભૂત ગણી શકાય.
દર વર્ષે આપણી કામગીરીનું મૂલ્યાંક્ન કરાય છે જેના આધારે સાંસ્થાના માનવ સંસાધનોનો
સૌથી વધારે અસરકાર ઉપયોગ કરવા માટે સૌથી નીચેનાં ૫ કે ૧૦ % કર્મચારીઓને અલગ
તારવવામાં આવે છે. જો માહિતિઅંશધારકો માટે તેમનાં વળતરની દૃષ્ટિએ વર્ષ સારું ન હોય
તો આ આંકડો ૨૦% જેટલે પણ પહોંચી શકે છે. સંસ્થાનું આપણું મશીન આપણને માંસલ, કસાયલું જોઈએ છીએ. તેમાં કામ કરતાં લોકો એકદમ ચુસ્ત
હોવાની સાથે વ્યાપારના ઝડપી વિકાસ માટે ભૂખ્યાંડાંસ વરૂઓ જેવી આક્રમકતા ધરાવતાં
રહેવાં જોઈએ.
આ પ્રકારની
વ્યૂહરચના કે રણ્નીતિ સાથે સહમત ન હોવાને કારણે કે તમારાં અંગત કારણ એકે તમને બીજી
સારી તક મળતી હોવાને કારણે જો તમે સામે ચાલીને નોકરી છોડવા માંગતાં હો - આજકાલ
ભલભલી કંપનીઓ સાથે આવું બની પણ રહ્યું છે - તો તમારાં મુખ્ય સંચાલક કે માલિક કે
મુખ્ય માલીકીઅંશધારકો એવં કહેતાં જોવાં મળશે કે "તેઓ હવે બહુ ઉપયોગી નહોતાં
રહ્યાં'.
જે લોકો પાછળ
રહી ગયાં છે, જેમને ગુલાબી
ચબરખી (હજૂ સુધી) નથી મળી , જેઓ વિચારમાં છે કે તેઓ ઉપયોગી છે કે નહીં અને છે તો ક્યાં સુધી, એવાં લોકોનાં મનોબળ પર આ બધાંની શું અસર થશે? સામાય્તઃ સફેદ કોલર કર્મચારીગણ યુનિયન દ્વારા પોતાના
ગુસ્સાને વાચા નથી આપતો. ટેક્નોલોજીના વધતા જતા પ્રભાવને કારણે બ્લ્યુ કૉલર કારીગર
ઘટતાં જાય છે એટલે આમ પણ આજે હવે યુનિયનો પહેલાં જેટલાં તાકાતવર પણ નથી
રહ્યાં.એટલે ગઈ સદીના હીદુસ્તાનીઓએ જેમ વિદેશી સત્તાઓ સામે પોતાના નસીબને દોષ દઈને
કે ધાર્યં ધણીનું થાય એમ કહીને બેસી રહેવાનું કર્યું હતું તમે પણ તેમ કરશો.
તમામ
હિતધારકોનાં હિતને યથોચિત ન્યાય કરવાની બધી જ વાતો છતાં પણ માલીકીઅંશધારકોનાં
આર્થિક હિત તરફ આધુનિક સંચાલન વ્યવસ્થા વધારે ઢળતી જોવા મળે છે. તે અવૈયક્તિક
સંસ્થા તંત્ર દ્વારા કામ કરે છે, અને એ તંત્ર વ્યક્તિની પરવા ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી તે વ્યક્તિ
તેની રણનીતિમાં મહત્ત્વનું યોગદાન કરતી હોય. બીજા શબ્દોમાં કહીએ તો સંસ્થાકીય
વ્યવસ્થામાં વ્યક્તિનું બહુ વજૂદ નથી મનાતું. મોટી મોટી સંસ્થાઓમાં વ્યક્તિનું સ્થાન
ગમે તેટલું મોટું દેખાતું હોય, આંકડાઓની રમતમાં તે સ્થાન બીનમહત્ત્વનું જ સાબિત થતું હોય છે. હકીકતે તો
વ્યક્તિનું મહત્ત્વ ઘટે એટલા માટે અવૈયક્તિક પ્રક્રિયાઓ અને ટેક્નોલોજીની પાછળ
વધારે સમય અને સાધનોનું રોકાણ કરવાનું સંચાલકો વધારે ને વધારે પસંદ કરતાં હોય છે.
સીધી સાદી
હકીકત એ હે કે અંતે તો વ્ય્કતિની નહીં પણ
સંસ્થાની કામગીરિનું જ મૂલ્ય છે. જો કંપની સફળ નહીં રહે તો તેને તાળાં લાગવાનાં
છે. માટે વધારે સારૂં કામ કરતાં રહેવા માટે તેણે પોતાની ચરબી ઘટાડવીને 'યોગ્ય માપ'માં જ રહેવું જ પડે. સંસ્થાની કામગીરી સારી બની રહેવા માટે તેમાં કામ કરતાં
લોકોએ સારી કામગીરી કરતાં રહેવું પડે.વ્ય્કતિ પોતાની સારી કામગીરી અંગે હંમેશાં
સભાન રહે એટલા માટે તેણે જાણ રહેવી જ જોઈએ કે તેના માથાં પર ગુલાબી ચબરખીની તલવાર
તોળાયેલી જ રહી છે. કાલે જો ફરીથી અહીં કમ કરવા આવવું હશે તો આજે સારૂં કામ કરી
દેખાડવું પડશે. આપણને ખબર તો છે જે કે સંસ્થા પોતાનું તરભાણું ભર્યા પછી જ આપણા
તરફ નજર કરવાની છે. કંપની સારી કામગીરીમાં આપણું સારૂં યોગદાન હશે તેઓ આપણું
અસ્તિત્ત્વ છે. પણ જો કંપની અચાનક પોતાના વ્યૂહરચનાત્મક સઢનું સુકાન ફેરવે તો પછી
કોણ જાણે શું થશે?!પણ કંપનીની
કામગીરી નબળી પડી તો તમે ગમે તેટલું સારૂં કામ કર્યું હોય (કે પછી ન પણ કર્યું હોય), સંસ્થાની વ્યૂહરચનાના કોઠામાં આપણા તો ભોગ લાગ્યા જ છે.
ધ ઈકોનોમિક
ટાઈમ્સ માં ૨૫ જુલાઈ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Pink Things to Good Peopleનો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૨ એપ્રિલ, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો