બુધવાર, 8 મે, 2024

રામચરિતમાનસમાં નપુંસક - દેવદત્ત પટ્ટનાઈક

તુલસીદાસના રામચરિતમાનસમાં એક પંક્તિ વારંવાર ટાંકવામાં આવેલી છે, ‘ढोल, गंवार, शुद्र, पशु , नारी । सकल ताड़ना के अधिकारी॥.’ તેનો અનુવાદ ભારે ચર્ચાનો વિષય રહ્યો છે. જે સૌથી સામાન્ય ભાષાંતર કરવામાં આવ્યું છે, ‘ઢોલ, , ગમાર, પ્રાણીઓ અને સ્ત્રીઓ માર ખાવાને પાત્ર છે.’ તેનો ઉપયોગ હિંદુ ધર્મના સામંતવાદી ઝુકાવને દર્શાવવા માટે કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે, તેનો વિરોધ કરનારા ઘણા છે.

આવો આરોપ કરનારાઓને સામાન્ય રીતે ડાબેરી જૂથવાળા ગણવામાં આવે છે જ્યારે બચાવકર્તાઓને જમણેરી જૂથવાળા ગણવામાં આવે છે. ડાબેરીઓ પોતાને 'સચોટ સાચા' માને છે અને જમણેરીઓને 'નનૈયો ભણનારા' અને 'દલીલો કરીને બચાવ કરતા રહેનારા' કહે છે. જમણેરીઓ પોતાને ‘ગેરસમજ થનારાઓ’ અને ડાબેરીઓને ‘તારણકર્તા-માનસ’થી પીડિત માને છે. પંડિતો અને જાહેર માધ્યમો ડાબેરી તરફ ઝુકાવ ધરાવે છે, જોકે હાલમાં ઘણા લોકો ડાબેરીઓના આ બાબતે અતિરેક પર સવાલ ઉઠાવી રહ્યા છે, અને જમણેરીઓ તરફ વળ્યા છે. ડાબેરીઓ એવું માનવા ઇચ્છે છે કે જમણેરી દરેક વ્યક્તિ ગુંડો છે. અને જમણેરીઓ દરેક ડાબેરીઓને (ભારતમાં ચાલાકીપૂર્વક દેશભક્તિને હિંદુ ધર્મની સંહિતા કોડમાં ફેરવ્યા પછી) રાષ્ટ્રવિરોધી તરીકે ઓળખાવવા માંગે છે. આમ બન્ને પક્ષો વચ્ચે યુદ્ધની રેખાઓ ખેંચાયેલી રહે છે.

આરોપીઓ અને બચાવકર્તાઓ સાથે પરિપૂર્ણ આ તીવ્ર યુદ્ધમાં, જ્યાં લાઇવ કૅમેરા સમક્ષ બધું કોર્ટરૂમ નાટક બની જાય છે, વિદ્વતાનો ભોગા લેવાઈ જાય છે. જ્યારે રામ માગણી કરે છે કે વરુણ તેમને લંકા જવા માટે રસ્તો બનાવી આપે, સમુદ્ર-દેવ વરુણ ઉપરોક્ત પંક્તિ બોલે છે. તેઓ 'ઢોલ, ગમાર, સેવક, પ્રાણી અને સ્ત્રી' તરીકે જડબુદ્ધિ તરીકે વર્તવા બદલ માફી માંગે છે અને રામનો ઠપકો સ્વીકારતાં રામને યાદ કરાવે છે કે દરેક વ્યક્તિએ, વિશ્વમાં તેમના સ્થાને, પોતાના સહજ સ્વભાવની ચોક્કસ મર્યાદાઓમાં રહેવું પડશે. આમ એમનું કહેવું છે કે ભગવાન માટે કરીને સમુદ્ર પણ નિયમો બદલી શકતો નથી.

શું કવિ તુલસીદાસે સામંતશાહી તેમજ નોકર અને સ્ત્રીઓને માર મારવાનું સમર્થન કર્યું હશે? શું આ પંક્તિઓ ગંગા કિનારાના પ્રદેશોના ૧૬મી સદીના હિન્દી ભાષી પટ્ટાના ચોક્કસ વર્ગ માટે છે કે તમામ હિંદુઓ માટે છે? શું તેઓ સૂચનાઓ અથવા પ્રતિકો છે? આ બધું પોતપોતાના અભિપ્રાયની બાબતો છે, અને સંશોધન પદવી મેળવવા માટે કે ટેલિવિઝન શોમાં સ્થાન મેળવવા માટે, તેના પરા કાયમ માટે ચર્ચા કરી શકાય છે. વાસ્તવિકતા એ છે કે: કવિઓને પણ, સામાન્ય લોકો જેવાં મંતવ્યો હોય છે, જે હંમેશા રાજકીય રીતે સાચા નથી હોતાં. એટલું તો ચાલો સ્વીકારી પણ લઇએ, સિવાય કે જેઓ 'ન્યાય'ના નામે સ્વતંત્ર વાણીને મોઢે ડૂચો મારી દેવા માગે છે એવા લોકોનું શું કરવું?.

આ જ ગ્રંથના અંતિમ અધ્યાય (૮.૮૭ક) માં બીજી એક પંક્તિ છે જે આ કથન જેટલી ટાંકવામાં નથી આવતી એ પંક્તિમાં જ્યારે રામ ભુષંડી (કાગડા)ને કહે છે, 'पुरुष, नपुंसक, नारी वा जीव चराचर कोई सर्व भाव भज कपट तजि मोहि परम प्रिय सोई.' - પુરુષ કે નપુંસક કે નારી કે પછી કોઈ પણ જીવ કે જડ દ્વેષનો ત્યાગ કરીને મારી પાસે આવે છે, તે મારા માટે પ્રિય છે.- શા માટે ડાબેરીઓ કે જમણેરીઓ આ પંક્તિને ટાંકતા નથી? એટલા માટે છે કે તે ડાબેરીઓના ‘હિન્દુવાદના સામંતવાદી દાવાને પડકારે છે? કે પછી એટલા માટે કે તે જમણેરીઓના દાવા 'નપુંસકો હિંદુ સમાજનો ભાગ નથી’ ને પડકાર કરે છે?

આ બે પંક્તિઓ હિંદુ ધર્મના બે તદ્દન અલગ મંતવ્યો રજૂ છે. એક મંતવ્ય હિંદુ ધર્મને સામંતવાદી અને ઊંચનીચના પદાનુક્રમનો આગ્રહી બનાવે છે. તો બીજું મંતવ્ય હિંદુ ધર્મને બધા માટે સુલભ અને મુક્ત બતાવે છે. આઝાદી પછીના ભારતની જેમ તે 'નપુંસક' સમુદાયને અદ્રશ્ય નથી કરી નાખતું. ‘સાચો’ હિંદુ ધર્મ કયો છે? આપણે શું પસંદ કરીએ છીએ? શું આપણું રાજકારણ આપણી પસંદગી પર પ્રભાવ કરે છે? કે પછી આપણી પસંદનાપસંદ આપણા રાજકારણને પ્રભાવિત કરે છે? શું બંનેનું અસ્તિત્વ પ્રાચીન સંસ્કૃતિને બળ અને પ્રતિબળ પ્રદાન કરે છે? ડાબેરી અને જમણેરી, એમ બંને પક્ષોના લોકોએ તેમના તીવ્ર વિવાદ તરફ પાછા ફરતા પહેલાં આ દૃષ્ટિએ વિચાર કરવાની જરૂર છે.

  • મિડ – ડે માં ૩ એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Queer in Ramcharitmanas નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૮ મે ૨૦૨૪

બુધવાર, 1 મે, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : #૭ પરિવર્તન જ સ્થાયી છે

 

અત્યાર સુધી આપણે તાર્કિક વિરોધાભાસનાં કેટલાં રોજબરોજના સામાન્ય વપરાશમાં જોવા મળતાં ઉદાહરણો જોયાં. આ વિરોધાભાસી કથનો પહેલી નજરે જેટલાં સાવ સાદાં કથનો લાગે, તેટલો જ તેમાં રહેલો વિરોધાભાસ પણ છતો થતો જ હોય. આજનું આ કથન એવું છે કે તેમાં જે વિરોધાભાસ છે તે દરરોજ સામે આવતો હોય છે.

' મારૂં માનવું છે કે હેરાક્લિટસનું કહેવું છે કે બધું જ આવતું જતું રહે છે, કંઈ જ સ્થાયી નથી રહેતું. વર્તમાન સ્થિતિને નદીના પ્રવાહ સાથે સરખાવવી જોઈએ - એક જ નદીમાં એક સરખો પગ બે વાર નથી મુકી શકાતો. -  પ્લેટો.

'સિદ્ધાર્થ'માં હરમન હેસ સમજાવે છે કે બન્ને બાજુના કિનારા ત્યાંને ત્યાં જ ઊભેલા દેખાય છે, પણ તેમને અડીને સતત વહેતા રહેતા પાણીના પ્રવાહને કારણે એક એક ઘડીએ નવા જ રહે છે. સ્થાયી લાગતા કિનારા કે ત્યાં પડી રહેલા પથ્થરને કાળક્રમે ઘસારો લાગે છે અને એટલે અંશે તે પણ બદલાય છે. નદી અને જીવન, બન્નેનો ધર્મ છે કે વહેતાં રહેવું. વચ્ચે કોઈ અંતરાય આવે તો તેમાંથી વહેતા રહેવાનો માર્ગ તો ખોળી જ લેવો  રહ્યો.

હેરાસિલિટસ[1] પરિવર્તનના સાર્વત્રિક નિયમને સતત પરિવર્તનના સિદ્ધાંત તરીકે ઓળખાતી ત્રણ કેંદ્રસ્થ માન્યતાઓ જોડે સાંકળે છે, જે તાર્કિક અસંગતતા તરફ દોરી જાય છે.:

·        દરેક વસ્તુ સતત પરિવર્તન પામે છે. 

·        વિપરિતતામાં એકીકરણ છે (કોઈ વસ્તુનું ઊલટું તો જ ટકી શકે તો મૂળમાં પરિવર્તન થતું રહે.) 

·        બધું જ અસ્તિત્વ ધરાવે છે અને નથી પણ ધરાવતું. (વસ્તુનું સ્વરૂપ બદલાય મે સંદર્ભની સાથે માન્યતા બદલાય, પરંતુ મૂળ તો હતું તેવું રહે છે. નરસિંહ મહેતા કહે છે તેમ 'નામ રૂપ ઝુઝવાં, અંતે તો હેમનું હેમ હોય')

તેમનાં કથનોમાં જે મોટો વિરોધાભાસ છે તે એ છે કે પરિવર્તનની હાજરી, અનુભૂતિ, પરિવર્તન નથી પામતી. મુદ્દો એ છે કે મૂળ વસ્તુ ભલે બદલી ન હોય, પણ (તેના સંદર્ભમાં) અમુક વસ્તુઓ બદલાવાને કારણે અન્ય વસ્તુઓનું અસ્તિત્વ શક્ય બને છે.  બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઘટકોમાં થતું પરિવર્તન ઉચ્ચ સ્તરનાં જગતને સાતત્ય બક્ષે છે. આમ, દુનિયાને મૂળે અસ્થાયી પ્રકૃતિની કોઈ વસ્તુ સાથે સાંકળવાને બદલે પરિવર્તનના નિયમ દ્વારા ચાલતી રહેતી પ્રક્રિયા સાથે સાંકળીને પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જોઈએ. [2]

પ્રકૃતિનો પરિવર્તનનો નિયમ પણ માનવ  નૈતિકતાને અસર કર્યા વિના કેમ રહે! કાબે અર્જુન મારીયો, વહી ધનુષ, વહી બાણ. તો પછી નશ્વર એવા મનુષ્યનાં નૈતિક મૂલ્યો અને ધોરણો બદલાતાં રહે તેમાં આશ્ચર્ય કે દુઃખ શા માટે હોવું જોઈએ? જન્મ થી માંડીને મૂત્યુ સુધી માનવ મન પરિવર્તન પામતું રહે છે. મૂત્યુ પછી, હિંદુ માન્યતા મુજબ, આત્મા પણ એક શરીરને બદલીને બીજું શરીર લે છે. આમ કાલાતીત, અમર, અવિનાશી આત્મા પણ દેખીતી રીતે તો પરિવર્તનમાંથી પસાર થાય છે. આ સમજને જે નથી સ્વીકારી શકતું તે દુઃખી થાય છે.

ડાર્વિનના સિદ્ધાંતનું એક અર્થ એવો પણ કરાતો રહો છે કે સૌથી વધારે સશક્ત કે બુદ્ધિશાળી જાતિ ટકતી નથી, ટકી તો એ જ શકે છે જે સમય સાથે થતાં પરિવર્તન સાથે કદમ મેળવી શકે છે. તાકાતવાળૂ, અક્કડ, વૃક્ષ આંધીની સામે ટકતું નથી, પણ પવનની થાપટ સાથે ઝુકતી રહેતી વેલ /  છોડ ટકી જાય છે. અનુકૂલન સાધવાની વાતના સંદર્ભમાં માણસે કુદરત પાસેથી એ શીખવાનું છે કે બદલતી રહેતી કુદરત પોતાની આગવી ઓળખ, તેની કુદરતી સંરચના નથી બદલતી. સાપ કાંચળી ઉતારે છે, પણ તેથી તે સાપ થવામાંથી બદલી નથી જતો, તેમ અનુકૂલન સાધવાને બહાને વ્યક્તિએ પોતાનાં મૂલ્યો સાથે સમાધાન કરવાની જરૂર નથી.

પરિવર્તનનાં સાતત્ય વિશે નીચે કેટલુંક વધારાનું સાંદર્ભિક સાહિત્ય ટાંક્યું છે, એટલે આ ચર્ચાની સમાપ્તિ બે વિચાર કણીકાઓથી કરીશું.

 'પરિવર્તન જીવનનો નિયમ છે. જે ભૂતકાળ કે વર્તમાન તરફ જ દૃષ્ટિ કરી રાખે છે તે આવી રહેલાં ભવિષ્યને નથી જોઈ શકતુંં'. -અ જોહ્ન એફ કેનેડી

'જીવન સહજ અને સ્વયંસ્ફુરિત પરિવર્તનોની શ્રેણી છે. તેનો વિરોધ કરવાથી તો સામે દુઃખ જ મળશે. જીવનને તેના સ્વાભાવિક ક્રમમાં આગળ વહેવા દો.' - લાઓત્સુ

 

આવો આવો લોકો

જ્યાં પણ ફરતાં કરતાં હો

સ્વીકારો કે પાણી

તમારી આસપાસ વધી રહ્યાં છે

જેટલું જલદી બને એટલું સ્વીકારો

અંદર હાડકાં સુધી પલળી જશો

 

 

Come gather ’round people

Wherever you roam

And admit that the waters

Around you have grown

And accept it that soon

You’ll be drenched to the bone

 

 

તમારો સમય જો

બચાવવા યોગ્ય હોય

તો તરવા લાગો નહીં તો પથ્થરની જેમ ડૂબી જશો

કેમકે સમય બદલતો જ રહે છે

 

 

If your time to you

Is worth savin’

Then you better startswimmin’ or you’ll sink like a stone

For the times they are a-changin’

               બૉબ ડાયલન

- ‘‘The Times They Are A-Changin’’’ (1963)

 

                                     Bob Dylan

    - ‘‘The Times They Are A-Changin’’’ (1963)

 

વધારાનું વાંચન:

When Change is the Only Constant - Kirsten Wolberg

Change: The Only Constant | Arit Mukherjee | TEDxYouth@GEMSModernAcademy

આપણા જીવનમાં પરિવર્તન એ સતત અને સ્વાભાવિક પરિબળ છે. માણસજાત માંડ પરિવર્ત્ન સ્વીકારે છે. પરિવર્તન કેમ સ્વીકારવું વગેરે વિશે અરિત અહીં વાત કરે છે. 

Change is your only constant | Trent Clark | TEDxHBU

માઈક્રોબાયોલોજી અને ઈમ્મ્યુનોલોજીનાં ઉદાહરણો વડે બતાવાયું છે કે પરિવર્તનોને કારણે માનવજાત કેમ ટકી શકી છે અને આગળ વધી શકી છે.

CHANGE IS INSPIRING, INEVITABLE AND THE ONLY CONSTANT | અપૂર્વ ચમરીઆ જૈસે થી માથી ઉદભવતા અસંતોષમાંથી નવો વિચાર  કે સ્ટાર્ટ્અપ જન્મ લે છે તેની વાત કરે છે. નવું વિચારબીજ ધરમૂળથી નવો વિચાર હોઈ શકે કે પછી કોઇ સીધો સાદો સુધારો પણ હોઈ શકે. ઘર્ષણવિહિન અર્થવ્યવસ્થા માટે બન્નેનો ફાળો મહત્ત્વનો છે.

In agriculture, the only constant is change | Bruce Rastetter | TEDxFargo

દુનિયાનો સૌથી જૂનો ઉદ્યોગ હોવા છતાં કૃષિ ક્ષેત્રે, ઉત્પાદકતા અને સંપોષિતાના સંદર્ભે, ઓછાંમાથી વધારે મેળવવાના, ફેરફારો થતા જ રહે  છે. આ ફેરફારો સ્વીકારશે તેને હ દુનિયામાં મોટી સફળતા વરશે

પુસ્તકો:

Thriving Through Uncertainty  - Moving Beyond Fear of the Unknown and Making Change Work for You - Kieves, Tama J,

Real Change - Mindfulness to Heal Ourselves and the World - Salzberg, Sharon,

The Universe Has Your Back - Transform Fear to Faith –

Make Change - How to Fight Injustice, Dismantle Systemic Oppression, and Own Our Future - King, Shaun, 1979

Living Beautifully With Uncertainty and Change - Chödrön, Pema

Change Your Thoughts, Change Your Life - Living the Wisdom of the Tao - Dyer, Wayne W.

Every Time I Find the Meaning of Life, They Change It - Wisdom of the Great Philosophers on How to Live - Klein, Daniel M., 1939-

How Change Happens -  Sunstein, Cass R,

Creative Change - Why We Resist It-- How We Can Embrace It - Mueller, Jennifer, 1972




[1] The Philosopher Of Change & Paradox


[2] Heraclitus (fl. c. 500 B.C.E.)

બુધવાર, 24 એપ્રિલ, 2024

મૃત્યુનાં મંદિર - દેવદત્ત પટ્ટનાઈક

 વિનાશક (શિવ)ને સમર્પિત ૮૪ મંદિરો ધરાવતું ઉજ્જૈન શહેર, આખરે તો જીવનના અનંત ચક્ર અને આત્માનાં અમરત્વની પૂજા કરે છે.

સામાન્ય રીતે, હિન્દુ મંદિરોમાં દેવતાઓ ઉગતા સૂર્યની સામી બાજુ મોં કરીને ઊભે છે. જો કે, ઉજ્જૈનના પ્રમુખ દેવતા, શિવ, જે સ્થાનિક રીતે મહાકાલેશ્વર તરીકે ઓળખાય છે. તેમનું મુખ, હિંદુ પૌરાણિક કથાઓમાં મૃત્યુ સાથે સંકળાયેલ દિશા, દક્ષિણ તરફ છે. ત્યાં વૈતરણી નદી વહે છે, જેની આગળ પિતૃઓની ભૂમિ, પિતૃ-લોક. સ્થિત છે. શિવ તેમની તરફ જુએ છે અને બીજા ભવની આશા આપે છે, કારણ કે તે સમયના સ્વામી, મહાકાલ, અને મૃત્યુના વિજેતા, મૃત્યુંજય, છે.

હિન્દુ ધર્મમાં, મૃત્યુને બે રીતે જીતવામાં આવે છે: અમરત્વ દ્વારા કે પુનર્જન્મ દ્વારા. મુક્તિ ત્યારે મળે છે જ્યારે આપણો અમર આત્મા દેહના પુનર્જન્મનો આનંદ માણે છે. શૈવ પ્રતિમાશાસ્ત્રમાં, શિવ-લિંગ અમર કાલાતીત આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. તેના પર ટપકતું પાણી સમયની નદીમાં ફરીથી મૃત્યુ પામતાં અને પુનર્જન્મ  લેતા હાડમાંસના નશ્વર દેહને દર્શાવે છે.

આઠમી સદીના વેદાંત વિદ્વાન આદિ-શંકરાચાર્ય ઉજ્જૈન ખાતેનાં મહાકાલેશ્વરનાં મંદિરને ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક તરીકે ગણાવે છે. આ સ્થળોમાં, શિવ પોતાના પર અગ્નિના સ્તંભ તરીકે દેખાયા હતા (સ્વયંભુ લિંગ). આવા શિવ મંદિરો માનવ હાથો દ્વારા સ્થાપિત કરાયેલા મંદિરોથી અલગ હોય છે.

પરંતુ મહાકાલેશ્વર મંદિર એ ઉજ્જૈનનું એક માત્ર શિવ મંદિર નથી. નજીકમાં કાલ ભૈરવ મંદિર છે. વાસ્તવમાં શહેરમાં ૮૪ શિવ મંદિરો છે, અને એક - દેવી હર-સિદ્ધિ મહાકાલીનું મંદિર - શક્તિપીઠ પણ છે, જે શૈવ ધર્મ સાથે તેના મજબૂત જોડાણને દર્શાવે છે.

ઉજ્જૈનને એક સમયે મહાકાલવન અથવા 'શિવના વન' તરીકે ઓળખવામાં આવતું હતું, જેમાંથી દક્ષિણ-પથ પસાર થતો હતો, જે ઉત્તરીય મેદાનોને દક્ષિણના પર્વતીય પ્રદેશ સાથે જોડતો ધોરીમાર્ગ હતો. શિવ આ જંગલમાં ભટકતા હતા કારણ કે તે એવી કોઈ વ્યક્તિની, કે વસ્તુની, શોધ કરી રહ્યા હતા જે  તેમને બ્રહ્માના અહંકારથી અકળઈને ખુબ ખંજવાળવાથી હથેલીમાં હઠપૂર્વક ચોટી રહેલ  બ્રહ્માના પાંચમા માથાથી  છૂટકારો મેળવવામાં મદદ કરે.  શિવ એટલે પણ અહીં ભટકતા હતા કે તેઓ તેમની પત્ની, સતી,ના સળગી ગયેલા અવશેષો સાથે લઈને ફરતા હતા. પ્રથમ કિસ્સામાં ક્રોધમાંથી મુક્તિ અને બીજા કિસ્સામાં દુઃખમાંથી મુક્તિ મળે એમ બંને કિસ્સાઓમાં, ક્ષિપ્રા નદીમાં મારેલી ડૂબકીએ તેમને મુક્ત કર્યા હતા. નદી એ લોહી પણ કહેવાય છે જે ક્રોધિત અથવા દુઃખી થયા પછી શિવે વિષ્ણુના કપાળ અથવા આંગળી પર ત્રિશૂળ વડે પ્રહાર કરવાને કારણે ફૂટી નીકળ્યું હતું. દેહ અને આત્માને શુદ્ધ કરવા માટે ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવું એ ઉજ્જૈનની મુલાકાતનો આવશ્યક ભાગ છે.

ઉજ્જૈનને એક સમયે અવંતી તરીકે ઓળખવામાં આવતું હતું. આ એક મહાન શહેર હોવાના સંદર્ભો વેદિક અને બૌદ્ધ સમયથી જ જોવા મળે છે. જેમણે સંસ્કૃત સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું હતું એવા કવિ કાલિદાસ, નાટ્યકારો ભાસ અને શુદ્રક સાથે હવે તે સંકળાયેલ છે. તે રહસ્યવાદી ભર્તૃહરિ અને તેના ભાઈ, રાજા વિક્રમાદિત્ય,નું સુપ્રસિદ્ધ શહેર છે, જેની વાર્તાઓ આપણને ,હિંદુ ધર્મના આધાર સમાનસમયની પુનરાવૃતિત પ્રકૃતિની યાદ અપાવે છે. .

ભર્તૃહરિનો દેહ અને આત્મા સાથેનો સાક્ષાતકાર હૃદયભંગ દ્વારા થયો. તે તેની પત્ની સાથે ખૂબ પ્રેમમાં હતો, પરંતુ તેણે જોયું કે તેની પત્ની તો ઘોડારના રખેવાળને પ્રેમ કરે છે, જે પાછો એક સફાઈ કામદાર મહિલાને ખરેખર પ્રેમ કરે છે. હૃદયભંગ થવા છતાં તેની ઇચ્છાઓને કાબુમાં કરવામાં અસમર્થ, એવો ભર્તૃહરિ વિભાજિત વ્યક્તિત્વનો ભોગ બની ને એક નિરાશ સંન્યાસી બની ગયો. તેનો એક ભાગે   ચાંદ્ર પક્ષના અર્ધભાગમાં આધ્યાત્મિક કવિતા લખી. તેનો બીજો ભાગ એક મંત્રમુગ્ધ ગૃહસ્થ બની ગયો જેણે ચાંદ્ર પક્ષના બીજા અર્ધભાગમાં વિષયાસક્ત કવિતા લખી. આખરે તેઓ નાથ-જોગી બન્યા. તેમની ગુફા ઉજ્જૈનની નજીકમાં જોવા મળે છે, જેમ  તેમના ગુરુ મત્સ્યેન્દ્રનાથનું મંદિર મુસ્લિમો દ્વારા પીર તરીકે પુજાય છે.

વિક્રમાદિત્યના કિસ્સામાં, જીવનના પુનરાવર્તિત સ્વભાવની સમજણ વેતાલ સાથેના તેમના પ્રયત્નોમાંથી બહાર આવી હતી, વેતાલ એક એવું ભૂત હતું જે સ્મશાનભૂમિમાં એક ખીજડાના ઝાડ પર રહેતું હતું. વેતાલે તેને ખભા પર ઉંચકીને લઈ આવવાનું હતું. વેતાલને પકડવાનું સહેલું હતું, પણ તેને પકડી રાખવું અઘરું હતું કારણ કે તેને પક્ડનાર વ્યક્તિએ તેને પકડી રાખવા માટે તેની સાથે વાત કરવાની ઇચ્છાનો પ્રતિકાર કરવો પડતો હતો. પરંતુ ભાગી જવાનું નક્કી કરેલું ભૂત હંમેશા વિક્રમાદિત્યને એક વાર્તા કહેતું અને પછી તેને એ વાર્તાના અંત અંગે ન્યાય કરવા કહેતું. વેતાલની શરત હતીઃ 'જો તમે ખરેખર વિક્રમાદિત્ય હશો, તો તમે ન્યાયોચિત નિર્ણય કરશો. જો તમે ઢોંગી હશો, તો તમે ચૂપ રહેશો.વાર્તાને અંતે અભિમાની વિક્રમાદિત્ય પોતાનું મોં બંધ રાખી શકતો નહીં અને તેથી ભૂત તેને ચોવીસ વાર થાપ આપીને  પાછું ઝાડ પર લટકી જવામાં આપવામાં સફળ રહ્યુ. પચીસમા પ્રયાસે, વિક્રમાદિત્ય પાસે આપવા માટે કોઈ જવાબ ન હતો અને તેથી તે ચૂપ રહ્યો.તમે જે મૌનનો આટલો ગર્વ અનુભવો છો તે તમને મોંઘું પડશે,’ ભૂત હસી પડ્યો અને તેણે પછી જાહેર કર્યું કે કેવી રીતે તેણે જ વિક્રમાદિત્યને વેતાલ લાવવા કહ્યું હતું. તે એક જાદુગર હતો જે વિક્રમાદિત્યની ગાદી હડપ કરવા માટે ભૂતનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યો હતો. વેતાલની પચીસ વાર્તાઓની પુનરાવર્તિત પ્રકૃતિ આપણને જીવનની ચક્રીય પ્રકૃતિનાં, અને તે ચક્રને તોડવાના પ્રયાસોનાં, જોખમોની યાદ અપાવે છે.

ઉજ્જૈનની લોકકથાઓમાં, જ્યાં વિક્રમાદિત્યને વેતાલને મળે છે તે સ્મશાનગૃહમાંથી છે તેમાંથી મહાકાલેશ્વર મંદિરની ધાર્મિક વિધિઓ માટે રાખ એકત્રિત કરવામાં આવે છે. દરરોજ સવારે ૪ વાગ્યે, શિવ-લિંગને ભસ્મ-આરતી કરવામાં આવે છે આ આરતી બંધ દરવાજા પાછળ પુરૂષ પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. સ્ત્રીઓ - જે પ્રતીકાત્મક રીતે જીવન અને પુનર્જન્મ સાથે સંકળાયેલી છે - પ્રતીકાત્મક રીતે મૃત્યુની વાસ્તવિકતાની ઉજવણી કરતી આ ધાર્મિક વિધિમાંથી બાકાત રખાય છે. પરંપરાગત રીતે, તાજા અગ્નિસંસ્કાર કરાયેલા શબની ચિતામાંથી રાખ એકત્ર કરવામાં આવતી અને અઘોરી સંન્યાસી દ્વારા  આરતીમાં અર્પણ કરવામાં આવતી.

જોકે હવે ધાર્મિક વિધિ વધુ શુદ્ધ કરાઈ છે. મડદાંની રાખને બદલે બદલે ગાયના છાણની રાખ વિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે,  કદાચ આધુનિકતાવાદીઓ (અથવા ધાર્મિક વિધીઓમાં વિશુધ્ધતા આગ્રહીઓ)ની સંવેદનાઓને અનુરૂપ ધાર્મિક વિધિમાં ફેરફાર કરવાનો આ પ્રયાસ હશે. તેજસ્વી, ખુશખુશાલ વૈદિક હિંદુ ધર્મ અને તાંત્રિક હિંદુ ધર્મ તરીકે ઓળખાતા અંધારા છૂપા પ્રવાહ વચ્ચેનો આ તણાવ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે, હિંદુ વિચારધારાના શિવને દૂધ અને ગાયના છાણની રાખ મળે છે. તો તાંત્રિક વિચાધારાના શિવને સ્મશાનગૃહમાંથી રાખ અને હાડકાં મળે છે.

મૂળ મહાકાલેશ્વર મંદિર મહાકાલવનમાં આવેલું હતું. ૧૩મી સદીમાં રઝિયા સુલતાનના પિતા, દિલ્હીના સુલતાન, ઇલ્તામુશ, દ્વારા આ મંદિર હુમલાઓ કરવામાં આવ્યા હતા અને લૂંટવામાં આવ્યું હતું. . જૂની ઈમારતોમાંથી  માત્ર ચૌબીસખાંબા મંદિર (૨૫ થાંભલાઓનું મંદિર) તરીકે ઓળખાતું દ્વારગૃહ બચ્યું છે, જેના દ્વારપાલોમહા-માયા અને મહા-લયા દેવીઓ છે, જે  શિવ-શક્તિના આ શહેરના ઊંડા મૂળની યાદ અપાવે છે. પરંતુ મંદિરનું પુનઃનિર્માણ ૧૮મી સદીમાં, મરાઠા સંઘના યુગ દરમિયાન, સિંધિયા (અથવા શિંદેસના) રાજ્યાશ્રય હેઠળ કરવામાં આવ્યું હતું. તેઓએ જ ક્ષિપ્રાના કિનારે સિંહસ્થ (ઉજ્જૈનનો કુંભ મેળો) ની શરૂઆત કરી, તેમાં યોદ્ધાઓ અને તપસ્વીઓને નજીકના નાસિકમાં ગોદાવરી નદીના કિનારે દર બાર વર્ષે યોજાતા મેળાની નકલ કરવા માટે આમંત્રિત કર્યા. શાસકો હિંદુ ફિલસૂફીના પાયાને જાણતા હતા: કંઈ પણ કાયમ રહેતું નથી, અને બધું પુનર્જન્મ થાય છે.

  • મુંબઈ મિરરમાં ૩ એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Temples of death નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૪ એપ્રિલ ૨૦૨૪