બુધવાર, 24 એપ્રિલ, 2024

મૃત્યુનાં મંદિર - દેવદત્ત પટ્ટનાઈક

 વિનાશક (શિવ)ને સમર્પિત ૮૪ મંદિરો ધરાવતું ઉજ્જૈન શહેર, આખરે તો જીવનના અનંત ચક્ર અને આત્માનાં અમરત્વની પૂજા કરે છે.

સામાન્ય રીતે, હિન્દુ મંદિરોમાં દેવતાઓ ઉગતા સૂર્યની સામી બાજુ મોં કરીને ઊભે છે. જો કે, ઉજ્જૈનના પ્રમુખ દેવતા, શિવ, જે સ્થાનિક રીતે મહાકાલેશ્વર તરીકે ઓળખાય છે. તેમનું મુખ, હિંદુ પૌરાણિક કથાઓમાં મૃત્યુ સાથે સંકળાયેલ દિશા, દક્ષિણ તરફ છે. ત્યાં વૈતરણી નદી વહે છે, જેની આગળ પિતૃઓની ભૂમિ, પિતૃ-લોક. સ્થિત છે. શિવ તેમની તરફ જુએ છે અને બીજા ભવની આશા આપે છે, કારણ કે તે સમયના સ્વામી, મહાકાલ, અને મૃત્યુના વિજેતા, મૃત્યુંજય, છે.

હિન્દુ ધર્મમાં, મૃત્યુને બે રીતે જીતવામાં આવે છે: અમરત્વ દ્વારા કે પુનર્જન્મ દ્વારા. મુક્તિ ત્યારે મળે છે જ્યારે આપણો અમર આત્મા દેહના પુનર્જન્મનો આનંદ માણે છે. શૈવ પ્રતિમાશાસ્ત્રમાં, શિવ-લિંગ અમર કાલાતીત આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. તેના પર ટપકતું પાણી સમયની નદીમાં ફરીથી મૃત્યુ પામતાં અને પુનર્જન્મ  લેતા હાડમાંસના નશ્વર દેહને દર્શાવે છે.

આઠમી સદીના વેદાંત વિદ્વાન આદિ-શંકરાચાર્ય ઉજ્જૈન ખાતેનાં મહાકાલેશ્વરનાં મંદિરને ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક તરીકે ગણાવે છે. આ સ્થળોમાં, શિવ પોતાના પર અગ્નિના સ્તંભ તરીકે દેખાયા હતા (સ્વયંભુ લિંગ). આવા શિવ મંદિરો માનવ હાથો દ્વારા સ્થાપિત કરાયેલા મંદિરોથી અલગ હોય છે.

પરંતુ મહાકાલેશ્વર મંદિર એ ઉજ્જૈનનું એક માત્ર શિવ મંદિર નથી. નજીકમાં કાલ ભૈરવ મંદિર છે. વાસ્તવમાં શહેરમાં ૮૪ શિવ મંદિરો છે, અને એક - દેવી હર-સિદ્ધિ મહાકાલીનું મંદિર - શક્તિપીઠ પણ છે, જે શૈવ ધર્મ સાથે તેના મજબૂત જોડાણને દર્શાવે છે.

ઉજ્જૈનને એક સમયે મહાકાલવન અથવા 'શિવના વન' તરીકે ઓળખવામાં આવતું હતું, જેમાંથી દક્ષિણ-પથ પસાર થતો હતો, જે ઉત્તરીય મેદાનોને દક્ષિણના પર્વતીય પ્રદેશ સાથે જોડતો ધોરીમાર્ગ હતો. શિવ આ જંગલમાં ભટકતા હતા કારણ કે તે એવી કોઈ વ્યક્તિની, કે વસ્તુની, શોધ કરી રહ્યા હતા જે  તેમને બ્રહ્માના અહંકારથી અકળઈને ખુબ ખંજવાળવાથી હથેલીમાં હઠપૂર્વક ચોટી રહેલ  બ્રહ્માના પાંચમા માથાથી  છૂટકારો મેળવવામાં મદદ કરે.  શિવ એટલે પણ અહીં ભટકતા હતા કે તેઓ તેમની પત્ની, સતી,ના સળગી ગયેલા અવશેષો સાથે લઈને ફરતા હતા. પ્રથમ કિસ્સામાં ક્રોધમાંથી મુક્તિ અને બીજા કિસ્સામાં દુઃખમાંથી મુક્તિ મળે એમ બંને કિસ્સાઓમાં, ક્ષિપ્રા નદીમાં મારેલી ડૂબકીએ તેમને મુક્ત કર્યા હતા. નદી એ લોહી પણ કહેવાય છે જે ક્રોધિત અથવા દુઃખી થયા પછી શિવે વિષ્ણુના કપાળ અથવા આંગળી પર ત્રિશૂળ વડે પ્રહાર કરવાને કારણે ફૂટી નીકળ્યું હતું. દેહ અને આત્માને શુદ્ધ કરવા માટે ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવું એ ઉજ્જૈનની મુલાકાતનો આવશ્યક ભાગ છે.

ઉજ્જૈનને એક સમયે અવંતી તરીકે ઓળખવામાં આવતું હતું. આ એક મહાન શહેર હોવાના સંદર્ભો વેદિક અને બૌદ્ધ સમયથી જ જોવા મળે છે. જેમણે સંસ્કૃત સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું હતું એવા કવિ કાલિદાસ, નાટ્યકારો ભાસ અને શુદ્રક સાથે હવે તે સંકળાયેલ છે. તે રહસ્યવાદી ભર્તૃહરિ અને તેના ભાઈ, રાજા વિક્રમાદિત્ય,નું સુપ્રસિદ્ધ શહેર છે, જેની વાર્તાઓ આપણને ,હિંદુ ધર્મના આધાર સમાનસમયની પુનરાવૃતિત પ્રકૃતિની યાદ અપાવે છે. .

ભર્તૃહરિનો દેહ અને આત્મા સાથેનો સાક્ષાતકાર હૃદયભંગ દ્વારા થયો. તે તેની પત્ની સાથે ખૂબ પ્રેમમાં હતો, પરંતુ તેણે જોયું કે તેની પત્ની તો ઘોડારના રખેવાળને પ્રેમ કરે છે, જે પાછો એક સફાઈ કામદાર મહિલાને ખરેખર પ્રેમ કરે છે. હૃદયભંગ થવા છતાં તેની ઇચ્છાઓને કાબુમાં કરવામાં અસમર્થ, એવો ભર્તૃહરિ વિભાજિત વ્યક્તિત્વનો ભોગ બની ને એક નિરાશ સંન્યાસી બની ગયો. તેનો એક ભાગે   ચાંદ્ર પક્ષના અર્ધભાગમાં આધ્યાત્મિક કવિતા લખી. તેનો બીજો ભાગ એક મંત્રમુગ્ધ ગૃહસ્થ બની ગયો જેણે ચાંદ્ર પક્ષના બીજા અર્ધભાગમાં વિષયાસક્ત કવિતા લખી. આખરે તેઓ નાથ-જોગી બન્યા. તેમની ગુફા ઉજ્જૈનની નજીકમાં જોવા મળે છે, જેમ  તેમના ગુરુ મત્સ્યેન્દ્રનાથનું મંદિર મુસ્લિમો દ્વારા પીર તરીકે પુજાય છે.

વિક્રમાદિત્યના કિસ્સામાં, જીવનના પુનરાવર્તિત સ્વભાવની સમજણ વેતાલ સાથેના તેમના પ્રયત્નોમાંથી બહાર આવી હતી, વેતાલ એક એવું ભૂત હતું જે સ્મશાનભૂમિમાં એક ખીજડાના ઝાડ પર રહેતું હતું. વેતાલે તેને ખભા પર ઉંચકીને લઈ આવવાનું હતું. વેતાલને પકડવાનું સહેલું હતું, પણ તેને પકડી રાખવું અઘરું હતું કારણ કે તેને પક્ડનાર વ્યક્તિએ તેને પકડી રાખવા માટે તેની સાથે વાત કરવાની ઇચ્છાનો પ્રતિકાર કરવો પડતો હતો. પરંતુ ભાગી જવાનું નક્કી કરેલું ભૂત હંમેશા વિક્રમાદિત્યને એક વાર્તા કહેતું અને પછી તેને એ વાર્તાના અંત અંગે ન્યાય કરવા કહેતું. વેતાલની શરત હતીઃ 'જો તમે ખરેખર વિક્રમાદિત્ય હશો, તો તમે ન્યાયોચિત નિર્ણય કરશો. જો તમે ઢોંગી હશો, તો તમે ચૂપ રહેશો.વાર્તાને અંતે અભિમાની વિક્રમાદિત્ય પોતાનું મોં બંધ રાખી શકતો નહીં અને તેથી ભૂત તેને ચોવીસ વાર થાપ આપીને  પાછું ઝાડ પર લટકી જવામાં આપવામાં સફળ રહ્યુ. પચીસમા પ્રયાસે, વિક્રમાદિત્ય પાસે આપવા માટે કોઈ જવાબ ન હતો અને તેથી તે ચૂપ રહ્યો.તમે જે મૌનનો આટલો ગર્વ અનુભવો છો તે તમને મોંઘું પડશે,’ ભૂત હસી પડ્યો અને તેણે પછી જાહેર કર્યું કે કેવી રીતે તેણે જ વિક્રમાદિત્યને વેતાલ લાવવા કહ્યું હતું. તે એક જાદુગર હતો જે વિક્રમાદિત્યની ગાદી હડપ કરવા માટે ભૂતનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યો હતો. વેતાલની પચીસ વાર્તાઓની પુનરાવર્તિત પ્રકૃતિ આપણને જીવનની ચક્રીય પ્રકૃતિનાં, અને તે ચક્રને તોડવાના પ્રયાસોનાં, જોખમોની યાદ અપાવે છે.

ઉજ્જૈનની લોકકથાઓમાં, જ્યાં વિક્રમાદિત્યને વેતાલને મળે છે તે સ્મશાનગૃહમાંથી છે તેમાંથી મહાકાલેશ્વર મંદિરની ધાર્મિક વિધિઓ માટે રાખ એકત્રિત કરવામાં આવે છે. દરરોજ સવારે ૪ વાગ્યે, શિવ-લિંગને ભસ્મ-આરતી કરવામાં આવે છે આ આરતી બંધ દરવાજા પાછળ પુરૂષ પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. સ્ત્રીઓ - જે પ્રતીકાત્મક રીતે જીવન અને પુનર્જન્મ સાથે સંકળાયેલી છે - પ્રતીકાત્મક રીતે મૃત્યુની વાસ્તવિકતાની ઉજવણી કરતી આ ધાર્મિક વિધિમાંથી બાકાત રખાય છે. પરંપરાગત રીતે, તાજા અગ્નિસંસ્કાર કરાયેલા શબની ચિતામાંથી રાખ એકત્ર કરવામાં આવતી અને અઘોરી સંન્યાસી દ્વારા  આરતીમાં અર્પણ કરવામાં આવતી.

જોકે હવે ધાર્મિક વિધિ વધુ શુદ્ધ કરાઈ છે. મડદાંની રાખને બદલે બદલે ગાયના છાણની રાખ વિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે,  કદાચ આધુનિકતાવાદીઓ (અથવા ધાર્મિક વિધીઓમાં વિશુધ્ધતા આગ્રહીઓ)ની સંવેદનાઓને અનુરૂપ ધાર્મિક વિધિમાં ફેરફાર કરવાનો આ પ્રયાસ હશે. તેજસ્વી, ખુશખુશાલ વૈદિક હિંદુ ધર્મ અને તાંત્રિક હિંદુ ધર્મ તરીકે ઓળખાતા અંધારા છૂપા પ્રવાહ વચ્ચેનો આ તણાવ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે, હિંદુ વિચારધારાના શિવને દૂધ અને ગાયના છાણની રાખ મળે છે. તો તાંત્રિક વિચાધારાના શિવને સ્મશાનગૃહમાંથી રાખ અને હાડકાં મળે છે.

મૂળ મહાકાલેશ્વર મંદિર મહાકાલવનમાં આવેલું હતું. ૧૩મી સદીમાં રઝિયા સુલતાનના પિતા, દિલ્હીના સુલતાન, ઇલ્તામુશ, દ્વારા આ મંદિર હુમલાઓ કરવામાં આવ્યા હતા અને લૂંટવામાં આવ્યું હતું. . જૂની ઈમારતોમાંથી  માત્ર ચૌબીસખાંબા મંદિર (૨૫ થાંભલાઓનું મંદિર) તરીકે ઓળખાતું દ્વારગૃહ બચ્યું છે, જેના દ્વારપાલોમહા-માયા અને મહા-લયા દેવીઓ છે, જે  શિવ-શક્તિના આ શહેરના ઊંડા મૂળની યાદ અપાવે છે. પરંતુ મંદિરનું પુનઃનિર્માણ ૧૮મી સદીમાં, મરાઠા સંઘના યુગ દરમિયાન, સિંધિયા (અથવા શિંદેસના) રાજ્યાશ્રય હેઠળ કરવામાં આવ્યું હતું. તેઓએ જ ક્ષિપ્રાના કિનારે સિંહસ્થ (ઉજ્જૈનનો કુંભ મેળો) ની શરૂઆત કરી, તેમાં યોદ્ધાઓ અને તપસ્વીઓને નજીકના નાસિકમાં ગોદાવરી નદીના કિનારે દર બાર વર્ષે યોજાતા મેળાની નકલ કરવા માટે આમંત્રિત કર્યા. શાસકો હિંદુ ફિલસૂફીના પાયાને જાણતા હતા: કંઈ પણ કાયમ રહેતું નથી, અને બધું પુનર્જન્મ થાય છે.

  • મુંબઈ મિરરમાં ૩ એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Temples of death નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૪ એપ્રિલ ૨૦૨૪

બુધવાર, 17 એપ્રિલ, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૪]

 જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ  મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ (૩)થી આગળ

ટ્રિબ્યુન૧૯૪૪ 

૫ મે, ૧૯૪૪



જે કોઈને ભર પેટ હસવાનું જોઈતું હોય તો તેમના માટે હું એક પુસ્તકની ભલામણ કરું છું જે લગભગ એક ડઝન વર્ષ પહેલાં પ્રકાશિત થયું હતું. જોકે મારા હાથમાં તો તે તાજેતરમાં જ આવ્યું છે. એ પુસ્તક છે આઈ. એ. રિચાર્ડ્સનું પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ..

મોટાભાગે સાહિત્યિક વિવેચનના સામાન્ય સિદ્ધાંતો સાથે સંબંધિત હોવા છતાં, તે એક એવા પ્રયોગનું પણ વર્ણન કરે છે જે મિસ્ટર રિચાર્ડ્સે કેમ્બ્રિજ ખાતેના તેમના અંગ્રેજી વિદ્યાર્થીઓ સાથે, અથવા કદાચ એમ કહેવું જોઈએ કે વિદ્યાર્થીઓ પર, કર્યો હતો   વાસ્તવમાં માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં પણ  જેમને અંગ્રેજી સાહિત્યમાં રસ ધરાવતા હોવાનું માની શકીએ એવા વિવિધ સ્વયંસેવકોએ પણ આ પ્રયોગમાં  ભાગ લીધો. તેઓને તેર કવિતાઓ આપવામાં કરવામાં આવી હતી, અને તેઓને આ કવિતાઓનાં વિવેચન કરવા માટે કહેવામાં આવ્યું હતું. કવિતાઓના લેખક જાહેર કરવામાં આવ્યા ન હતા. કોઈ પણ સરેરાશ વાચક એ કવિતા વાંચીને એ લેખકને ઓળખી જાય તેટલા તેમાંના કોઈ લેખક જાણીતા પણ નહોતા.  આમ, એવા સાહિત્યિક વિવેચનના નમૂનાઓ મળે છે, જે સામાન્ય રીતે કવિનું નામ વગેરે બાબતોથી પ્રભાવિત થઈને મળતું એ રચનાનું મૂલ્યાંકન ન હોય.

આ પ્રયોગ કરવા માટે કોઈ ખૂબ ચઢિયાતું હોવું જોઈએ નહીં. તેમ હોવું જરૂરી પણ નથી, કારણ કે પુસ્તક એ રીતે  ગોઠવાયેલ છે કે તમે તમારા પર પ્રયોગ કરી શકો છો. સહી કર્યા વિનાની, બધી કવિતાઓ પુસ્તકના અંતમાં એક સાથે છે. લેખકોના નામ વાળી કાઢેલ પાના પર છે જેને તમારે કવિતાઓ વાંચી લીધા  સુધી જોવાની જરૂર નથી. કવિતાઓ વાંચતાંવેંત હું બોલી ઊઠ્યો કે મેં ફક્ત બે જ લેખકોને ઓળખી કાઢ્યા છે, જેમાંથી એકને તો હું પહેલેથી જ જાણતો હતો. જો કે હું બીજી કવિતાઓને અમુક દાયકાઓ સુધી અમુક સીમામાંના  સમયકાળમાં મુકી શકવાથી આગળ નહોતો પણ વધી શક્યો. મેં બે સરખા બફાટ પણ કર્યા. એક કિસ્સામાં શેલીએ લખેલી કવિતાને ઓગણીસ-વીસના દાયકાની જાહેર કરી  દીધી. પરંતુ તેમ છતાં, ડૉ. રિચર્ડ્સ દ્વારા નોંધવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ ચોંકાવનારી છે. તેઓ એ દર્શાવવા જાય છે કે ઘણા લોકો કે જેઓ પોતાને કવિતાના પ્રેમીઓ તરીકે વર્ણવે છે તેઓને, જેમ એક કૂતરાને અંકગણિત વિશે કંઈ સમજણ ન હોય તેમ,  સારી કવિતા અને ખરાબ કવિતા વચ્ચે તફાવત કરવાની સમજણ નથી હોતી.

ઉદાહરણ તરીકે, આલ્ફ્રેડ નોયેસ દ્વારા બનાવેલ સંપૂર્ણપણે બનાવટી આડંબરનો ટુકડો ખૂબ વખાણ મેળવે છે. એક વિવેચક તેની સરખામણી કીટ્સ સાથે કરે છે. 'વુડબાઇન વિલી' દ્વારા રફ રાઇમ્સ ઑફ અ પૅડ્રેનું એક લાગણીસભર લોકગીત પણ ખૂબ સારી વાહ વાહ મેળવે છે. બીજી બાજુ, જ્હોન ડોન દ્વારા એક ભવ્ય સૉનેટને એક અલગ જ પ્રકારનો ઠંડો આવકાર મળે છે. ડૉ. રિચાર્ડ્સ માત્ર ત્રણ અનુકૂળ ટીકાઓ અને લગભગ એક ડઝન ઠંડી અથવા પ્રતિકૂળ ટીકાઓની નોંધ લે છે. એક લેખક તિરસ્કારપૂર્વક કહે છે કે કવિતા 'સારું ભજન નીવડી શકે', જ્યારે એક અન્ય ટિપ્પણીમાં કહેવાયું છે કે, 'મને અણગમા સિવાય બીજી કોઈ પ્રતિક્રિયા દેખાતી નથી.' ડોન્ને એ સમયે તેમની પ્રતિષ્ઠાની ટોચ પર હતા અને બેશક આ પ્રયોગમાં ભાગ લેનારાઓ તેમનું નામ સાંભળીણે ભોંઠા પડ્યા હશે.  ડી.એચ. લોરેન્સની કવિતાધ પિયાનોની બહુ  હાંસી ઉડી છે, જોકે એક નાની લઘુમતી દ્વારા એ કાવ્યને વખાણવામાં પણ આવેલ છે. તો ગેરાર્ડ મેનલી હોપકિન્સની એક ટૂંકી કવિતા સાથે પણ એવું જ થયું છે.  એક લેખક તેનેમેં વાંચેલી સૌથી ખરાબ કવિતાજાહેર કરે છે  , જ્યારે બીજાની ટીકા ફક્તસુષ્ઠુ-સુષ્ઠુછે.

જો કે, આ યુવા વિદ્યાર્થીઓને તેમના ખરાબ નિર્ણય માટે દોષિત ઠેરવતા પહેલા, એ યાદ રાખવું જોઈએ કે જ્યારે થોડા સમય પહેલા કોઈએ અઢારમી સદીની ડાયરીની ખૂબ જ અવિશ્વસનીય નકલ પ્રકાશિત કરી હતી, ત્યારે, હાઉસ ઓફ લોર્ડ્સના ગ્રંથપાલ, વૃદ્ધ વિવેચક, સર એડમન્ડ ગોસે તરત જ તેની તરફેણમાં આવી ગયા હતા. જોકે એ કઈ 'શાખા'નો છે એ ભુલાઈ ગયું છે પણ પેરિસના કલા વિવેચકોનો પણ એક કિસ્સો હતો, જેમાં એવાં એક ચિત્ર પર એ વિવેચકો ઓળઘોળ થઈ ગયા હતા હતો જે પછીથી ગધેડાની પૂંછડી સાથે પેઇન્ટ-બ્રશ બાંધીને  દોરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

'આપણે આપણને બચાવતા પક્ષીઓનો નાશ કરી રહ્યા છીએ' શીર્ષક હેઠળ, ન્યૂઝ ક્રોનિકલ નોંધે છે કે 'લાભકારી પક્ષીઓને માનવ અજ્ઞાનથી નુકસાન થાય છે. કેસ્ટ્રેલ (એક જાતનું નાનું બાજ પક્ષી) અને ખળાંનાં ઘુવડની અર્થવિહિન સતાવણી થાય છે. પક્ષીઓની કોઈ બે પ્રજાતિ આપણા માટે વધુ આનાથી સારું કામ કરી શકતી નથી.

કમનસીબે આવું અજ્ઞાન માત્રથી પણ નથી થઈ રહ્યું. ઇંગ્લેન્ડના દુશ્મન, તેતર,ની ખાતર મોટાભાગના શિકારી પક્ષીઓને મારી નાખવામાં આવે છે. પેટ્રિજથી વિપરીત, તેતર ઇંગ્લેન્ડમાં મોટે પાયે ફાળતું ફૂલતું  નથી, અને તેમ છતાં ઉપેક્ષિત જંગલો અને તેના માટે જવાબદાર એવા અધમ ગેરકાનુની કાયદાઓ ઉપરાંત, તેના ઇંડા અથવા બચ્ચાઓને ખાઈ જવાની શંકા ધરાવતા તમામ પક્ષીઓ અથવા પ્રાણીઓનો વ્યવસ્થિત રીતે નાશ કરવામાં આવે છે. યુદ્ધ પહેલાં, હર્ટફોર્ડશાયરમાં મારા ગામની નજીક, હું વાડના પટમાંથી પસાર થતો હતો જ્યાં પક્ષીઓનો રખેવાળ તેનાં ખાદ્ય પક્ષીઓનો 'કોઠારરાખતો હતો.  સ્ટોટ્સ (નોળિયાની જાતનું એક રુંવાટીવાળું પ્રાણી ખાસ કરીને અર્મિન પ્રાણી), વીઝલ (નોળિયાને મળતું એક નાનું પાતળું ચપળ માંસાહારી પ્રાણી), ઉંદરો, શાહુડી, જે (રંગબેરંગી પીંછાવાળું નિલકંઠ જેવું પંખી), ઘુવડ, કેસ્ટ્રેલ અને સ્પેરો-હોક્સ (નાનું બાજ પક્ષી)ના મૃતદેહો વાયર પરથી લટકતા. ઉંદરો અને કદાચ જે સિવાય, આ તમામ પ્રાણીઓ ખેતી માટે ફાયદાકારક છે. સ્ટૉટ્સ સસલાને નિયંત્રણમાં રાખે છે, શાહુડી છછુંદર ખાય છે, અને તે જ રીતે કેસ્ટ્રલ અને સ્પેરો-હોક્સ પણ છછુંદર ખાય  છે, જ્યારે ઘુવડ તો વધારામાં ઉડર પણ ખાય છે. એવી ગણતરી કરવામાં આવી છે કે એક ખળાંનું ઘુવડ એક વર્ષમાં ૧,૦૦૦ થી ૨,૦૦૦ ઉંદરો અને છછુંદરોનો નાશ કરે છે.  જેને રુડયાર્ડ કિપલિંગે યોગ્યપણે જ જેનેઘણા પરગણાંઓના સ્વામીતરીકે વર્ણવ્યું છે એવાં નકામાં પક્ષી માટે કરીને તેને ખાતર ખળાંના ઘુવડને મારી નાખવું પડશે.

+                 +                      +                      +

Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society


જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા. 

૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.


+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ 

બુધવાર, 10 એપ્રિલ, 2024

આર્યોનો લાભ લેવો - દેવદત્ત પટ્ટનાઈક

 વિશ્વભરના વિદ્વાનો મધ્ય એશિયાથી પશ્ચિમ તરફ યુરોપ તરફ અને પૂર્વ તરફ ઈરાન અને ભારત તરફ ફેલાયેલી હિંદ - યુરોપીય ભાષાઓના પરિવાર વિશે વાત કરે છે જે છે. અહીં એક વાતની ભારપૂર્વક નોંધ લેવી રહી કે તેઓ ભાષાની વાત કરે છે, જાતિની નહીં. ઉદાહરણ તરીકે, દરેક વ્યક્તિ જે અંગ્રેજી જાણે છે તે 'અંગ્રેજી' જાતિના નથી. તેમ છતાં, રાજકારણીઓ અને સાહિત્યકારો લોકપ્રચલિત વિવરણોમાં આર્ય જાતિના વિચારનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.


૧૯મી સદીના યુરોપિયનો દ્વારા રજુ થયેલ પ્રથમ મત અનુસાર, આર્યો ઉત્તર યુરોપની, ગોરા અને સોનેરી વર્ણની શ્રેષ્ઠ જાતિ હતા. પહેલા ગ્રીકો-રોમનો અને પછી યહુદી અને ખ્રિસ્તી ધર્મને અનુસરતી સિમાઈટ જાતિઓ તેમના પર હાવી થઈ ગયી હતી. આ શ્રેષ્ઠ જાતિની યાદ ભારતમાં વેદોના રૂપમાં ટકી રહી હતી. જોકે ભારતીયોએ તો અસ્પૃશ્યતા અને મૂર્તિપૂજા જેવી પ્રથાઓથી પોતાને ભ્રષ્ટ કરી દીધા હતા. આર્ય જાતિ હોવું એ વિચારસરણીએ હિટલર અને નાઝી જર્મનીના ઉદયને વેગ આપ્યો, અને બીજા વિશ્વ યુદ્ધ પછી એ વિચારસરણી બધા માટે અણગમો બની ગઈ.

૧૯મી સદીથી ભારતીયોમાં લોકપ્રિય એવા બીજા મત અનુસાર, જ્યાં કોઈ જાતિ અને મૂર્તિ પૂજા નહોતી થતી અને 'સનાતન ધર્મ' અનુસરવામાં આવતો હતો એ 'શુદ્ધ' વૈદિક યુગનું હિંદુ ધર્મ એક ભ્રષ્ટ સ્વરૂપ છે. આ સિદ્ધાંત એ વિચાર સાથે અસહમત છે કે આર્યો યુરોપ અથવા મધ્ય એશિયામાંથી આવ્યા હતા. તે આક્રમણ, સ્થળાંતર અથવા વિદેશી આર્યોની માન્યતાને નકારી કાઢે છે. તે દલીલ કરે છે કે આર્યો ભારતમાં ઉદભવ્યા હતા અને તેઓ સમગ્ર વિશ્વમાં ભારતથી યુરોપ અને ઉત્તર ધ્રુવ પ્રદેશ સુધી ફેલાયેલા છે. જેઓ સામાન્ય રીતે ઉત્તર ભારતના છે, વિશેષાધિકૃત સમુદાયોમાંથી છે અને પોતે ગોરી ચામડીના છે એવા સમકાલીન રાષ્ટ્રવાદી લેખકો અને નવલકથાકારોમાં પણ આ સિદ્ધાંત લોકપ્રિય બની રહ્યો છે.

ત્રીજો સિદ્ધાંત દક્ષિણ ભારતનો છે, જે માને છે કે આર્યો ભારતમાં આક્રમણ કરનારા અથવા સ્થળાંતર કરનારા અથવા વિદેશીઓ ન હોઈ શકે, પરંતુ તેઓ ચોક્કસપણે ઉત્તર ભારતીયો છે જેમણે સિંધુ ખીણના શહેરોમાંથી દક્ષિણ ભારતીયોને વિસ્થાપિત કર્યા છે. આ વિવરણમાં, રામ એક શ્વેત આર્ય આક્રમણ કરનાર છે, અને રાવણ કાળી ચામડીની દક્ષિણી જાતિઓનું એવા નેતા તરીકે પ્રતિનિધિત્વ કરે છે, જેના પિતા આર્ય અને માતા દ્રવિડ હતા. જ્યારે હિંદી પટ્ટાના ઘણા લેખકો કહે છે કે કેવી રીતે રામે દક્ષિણ-ભારતીય રાક્ષસો દ્વારા અપાતી ધમકીઓને દૂર કરીને સંસ્કૃતિને જાળવી રાખી હતી, તમિલ લેખકોની એ દલીલ છે કે રામ આક્રમણ કરનાર અને રાવણ સ્થાનિક રક્ષક હતા.

ચોથો સિદ્ધાંત જાતિ વ્યવસ્થાને સમજાવવા માટે આર્યોનો ઉપયોગ કરે છે. અહીં, લેખકોએ દાવો કર્યો છે કે આર્ય આક્રમણકારોએ અસૂરોની જમીન પર કબજો જમાવ્યો અને તેમને નોકર (નીચલી જાતિ) બનાવી દીધા, અથવા તેમને જંગલો (જનજાતિ)માં ધકેલી દીધા, તે પહેલાં અસુરો મૂળ ભારતના શાસકો હતા. વિષ્ણુએ અસૂરોના સારા રાજા બલિ-રાજાને કપટ દ્વારા પરાજિત કરવા વામન નામના બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું તેની વાર્તાઓ પાછળનો તર્ક આ છે. આ ગોરી ચામડીની દુર્ગાનો કાળી ચામડીના મહિષાસુરને હરાવવાનો તર્ક છે, જે હવે કુખ્યાત મહિષાસુર શહીદ દિવસ તરફ દોરી જાય છે.

પાંચમો સિદ્ધાંત આર્યો અને તેમના વેદોને પિતૃસત્તા અને બ્રાહ્મણવાદ સાથે સરખાવે છે. તેઓ ચિત્રમાં આવ્યા તે પહેલાં, ભારત તાંત્રિક પરંપરાને અનુસરતું હતું, સમાજ વધુ સમાનતાવાદી હતો અને સ્ત્રીઓ પાસે વધુ સત્તા હતી. આર્યોના મર્દાનગીભર્યા દેવોએ પૂર્વ-વૈદિક, પૂર્વ-આર્ય સમયની દેવીઓને કેવી રીતે પ્રભાવિત કરેલ તે ઇન્દ્રએ ઉષા દેવી સાથે કરેલા દુર્વ્યવહાર જેવી કહાણીઓમાં જોઈ શકાય છે.
આમ વિવિધ સામાજિક ઘટનાઓને સમજાવવા માટે ‘આર્ય જાતિ’નો ઉપયોગ કરવામાં આવે છે.

ઇતિહાસકારો ભલે આ વંશીય સિદ્ધાંતોની મજાક ઉડાવે, પરંતુ એ બધી એવી શક્તિશાળી દંતકથાઓ છે જે ઇતિહાસના માર્ગને આગળ ધપાવે છે.

  • મિડ-ડે મિરરમાં ૨૬ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Leveraging the Aryans નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૦ એપ્રિલ ૨૦૨૪

શુક્રવાર, 5 એપ્રિલ, 2024

અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા: અંતથી શરૂઆત કરીએ

 

ઉત્પલ વૈશ્નવ

આંખ સામે ચિત્ર ખડું કરવું, મોટે પાયે વિચારવું વગેરેના ફાયદા આપણને બધાંને ખબર છે.

પરંતુ ૯૦% લોકો સીધી લીટીમાં જ વિચારે છે - એક છેડેથી શરૂ અને બીજે છેડે અંત.

અહીં જ તક છુપાએલી છે. 

અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા કેળવીએ: અંતથી શરૂઆત કરીએ

અવળેથી કડીઓ જોડવી એ એક જાતનો ભુલભુલામણીના કોયડાનો સહેલોસટ ઉપાય છે. 'અંત' થી શરૂ કરીને રસ્તો ખોળતાં ખોળતાં 'શરૂઆત' સુધી પહોંચી જાઓ. જટિલ સમસ્યાઓને ઉકેલવાનો આ એક શક્તિશાળી ઉપાય છે. 

અવળેથી કડી જોડવાના ૩ આનુષંગિક લાભ:

૧. સમસ્યાઓ ઉકેલવાનાં કૌશલ્યમાં વધારો : અંતના લક્ષ્ય બિંદુ પર ધ્યાન આપવાથી મુશ્કેલ સમસ્યા નીવડી શકે એવાં મોટાં કામને નાનાં નાનાં કામોમાં વહેંચી નાખવાની કળા આવડવા લાગે છે. બીજા શબ્દોમાં એ સફ થતી અવળી એન્જિનિયરિંગ પ્રક્રિયા છે.
૨. આયોજન પ્રક્રિયા ધારદાર બને છે : પહેલાં 'અંત'ની કલ્પના કરો. તેનાથી કામોની ગોઠવણી સ્પષ્ટ બની જાય છે તેમ જ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું શું જોઈશે તે સમજાઈ જાય છે. પરિણામ ? સુવ્યવસ્થિત, કાર્યદક્ષ આયોજન.
૩. સર્જનાત્મક કલ્પનાશક્તિ ખીલે છે : આ સીધી સટ રીત નથી. એ તો અભિનવ અભિગમ જ છે, જે અવનવા ઉપાયોને ખોળી લાવી શકે છે.

સ્ટીફન કોવીની અનુભવસિદ્ધ વાણી: "અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો."


"The 7 Habits of Highly Effective People"ની આ લગડી જેવી ટકોર અવળેથી કડીઓ જોડવાનું હાર્દ સમજાવી જાય છે. (પુસ્તક ન વાંચ્યું હોય તો હજુ પણ વાંચી જજો. આભાર પછીથી જ માનજો!)

તમારાં લક્ષ્યનું ચિત્રમાં મનમાં દોરો અને પછી તેને પહૉંચવાનાં દરેક પગલાંને એ લક્ષ્ય ભણી કેન્દ્રિત કરો. 

આ પણ અજમાવો: અવળું મનોમંથન 

લક્ષ્ય દખાય છે ને? આટલું કરશો તો લક્ષ્યવેધ નક્કી છે. 

બસ, પછી પુછો: "કયાં પગલાં અહીં સુધી લઈ આવ્યાં?" પગલાંનાં એ નિશાન પર ઊંધી ગણતરી માંડો. જે જે સીમાચિહ્નો અને પગલાંઓ આ કેડીએ મળતાં જાય તેને નોંધતાં જાઓ.

પરંપરાગત આયોજનને આમ ઊંધી બાજુએથી જોવાથી નવી સૂઝ ખુલવા લાગે છે અને સીધી સફર દરમ્યાન ચુકાઈ ગયેલાં પગલાં સ્પષ્ટપણે દેખાવા લાગે છે.

પાદ નોંધ: અવળી ગણતરી માંડતાં માંડતાં સવળી ગણતરીને હાંસિયામાં ન ધકેલી દેતાં. સમજી ગયાંને ! હા, આમ પણ, તમને તો ઈશારો જ બસ છે નેઃ😊

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૫ એપ્રિલ, ૨૦૨૪