આપણે આપણાં બાળકોને શું શીખવાડીશું : મહાવીરની જન્મ તિથિ, કે દરેક જીવનચક્રમાં
જન્મ લેતા એક એક પથપ્રદર્શક એવા જૈન તિર્થંકરોમાં તેઓ ૨૪મા, છેલ્લા નિર્થંકર હતા
કે અનેકવિધ સત્યની તેમની ફિલસૂફી? કે પછી બુધ્ધ ભગવાનનો નિર્વાણ દિન કે પછી જાતક કથાઓમાં વર્ણવાયેલ તેમના
પૂર્વ જન્મની કથાઓ કે આધિવ્યાધિપીડામાંથી મુક્તિ આપતી તેમન સિદ્ધાંત વિષે
શીખવાડીશું? કે પછી જે સ્થળે
મહાભારતનું યુદ્ધ ખેલાયું એ કુરુક્ષેત્રનાં મેદાનનાં ભૌગોલિક સ્થળ વિષે કે રાવણનાં પુષ્પક વિમાનમાં અયોધ્યા
પાછા ફરતા રામે નિહાળેલ દૃશ્યોની કથાઓ કે ભગવદ ગીતામાં વર્ણવેલ પુન:જન્મ આધારીત આ વિશ્વ
વિષે સમજાવીશું? જે જગ્યાએ ઈશુને
વધસ્થંભ પર ખીલાઓથી જડી દેવામાં આવ્યા હતા તે સ્થળ વિષે કે માતા મેરીનાં ઈસુ
માટેનાં વિશુધ્ધ ગર્ભાધાનની કથા વિષે કે પછી ઈશ્વરના બીનશરતી પ્રેમની ઈશુ એ કહેલી
બોધવાર્તાઓ શીખવાડીશું? મહમ્મદ પયંગરના વારસા માટે તેમના સસરા અને જમાઈ વચ્ચે થયેલ વિવાદ કે પછી
તેમની મક્કાથી જેરુસલેમથી સાતમા સ્વર્ગ સુધીની ઐશ્વરીય પાંખળા અશ્વ પરની તેમની
સવારીની કથા કે તેમણે વિશ્વને આપેલ જીવનની માર્ગદર્શક આચાર સંહિતા વિષે શીખવાડીશું?
આપણે બાળકોને જે શીખવાડવાનું પસંદ કરીએ છીએ તે આપણા
પૂર્વગ્રહો અને પદાનુક્રમ મુજબની આપણી પ્રાથમિકતાઓનું પ્રતિબિંબ છે : એ આપણે શું
છીએ તે બતાવે છે કે આપણે શું સાચું માનીએ છીએ, આપણી દૃષ્ટિએ શું જાણવું મહત્ત્વનું છે કે શું
બીનમહત્ત્વનું અને નકામું છે તે બતાવે છે કે પછી બતાવે છે કે આપણો દૃષ્ટિકોણ
સંકુચિત છે કે વૈશ્વિક છે કે બ્રહ્માંડીય છે તે બતાવે છે.
ઈતિહાસ આપણી સમક્ષ
હંમેશાં પુરાત્ત્વીય કે શીલાલેખીત કે એ સમયના પુરાવાઓને આધારે તટસ્થ સત્ય રજૂ કરે
છે. જુદાં જૂદા સમયનાં બિંદુઓને જોડીને તેમાંથી ઉભરતાં ચિત્રનું શું અર્થઘટન થશે
તે ચર્ચાસ્પદ વિષય બની રહી શકે છે, કેમકે તેનો આધાર ઇતિહાસકારના રાજકીય, સામાજિક કે સાંસ્કૃતિક ઝોક પર રહેલો છે. જેમ કે ૧૮૫૭નો
સંગ્રામ કેટલીક ભારતીય ટુકડીઓ અને ઈસ્ટ ઈંડીયા કંપનીના અફસરો વચ્ચે રાજકીય વર્ચસ્વ
પ્રસ્થાપિત કરવાની લડાઈઓ હતી તે વિષે બેમત ન હોવા છતાં કેટલાંક તેને આઝાદીનું
પહેલું યુધ્ધ કહે છે તો કોઈ તેને સીધેસાદો બળવો કહે છે.
પૌરાણિક શાસ્ત્રો અને
કથાઓનો અભ્યાસ આપણને કથાઓ, પ્રતીકો કે કર્મકાંડો દ્વારા લોકોની માન્યતાઓનું સંદર્ભોચિત સત્ય રજૂ કરે
છે. સ્વાભાવિક છે કે તેને તર્ક સાથે બહુ સંબંધ ન પણ હોય. દરેક જાતિ, સમુદાય કે ધર્મને
વાસ્તવિકતાનું તેમનું પોતાનું અર્થઘટન હોય છે. કેટલાકના મત અનુસાર સંપૂર્ણ વિશ્વની
રચના ઈશ્વરે આરામ ફરમાવવાનું નક્કી કર્યું તે પહેલાંના છ દિવસમાં થઇ હતી. અન્ય
કેટલાંકનું માનવું છે કે અનંત સાગર પર તરતા સર્પના ગુંચળાઓ પર સૂતેલા સંરક્ષકની
નાભિમાં ખીલેલાં કમળમાંથી સર્જનહાર પ્રગટ થયા છે.
નહેરૂના સમયમાં આપણને
સમજાવાયું કે ધર્મ અને પુરાણોને અતિક્રમીને, ઈતિહાસને મહત્ત્વ આપવું અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો.
પુરાણવિદ્યાને 'અભણ લોકોનાં ખોટાં જ્ઞાન' તરીકે ઓળખવાનો અભિગમ
આપણને સામ્રાજ્યવાદી શાશનના વારસા તરીકે મળ્યો. એ સમયે આપણે એ ભૂલી ગયાં કે એ જ
શાસકોએ તેમનાં પુરાણોને, બાઈબલીય ધર્મગ્રંથોને,કદી પણ ખોટા નથી કહ્યા. સાંપ્રદાયિકતાની આપણી ખોજમાં આપણે લોકોની શ્રધ્ધા
પ્રત્યે ઉદાસીન, કે, ક્યારેક, આક્રમકપણે વિરોધી, વલણ અપનાવ્યું. તેમાં
પણ જૂદાં જૂદાં રાજકીય કારણોસર, હિંદુ વિધિવિધાનો અને માન્યતાઓ વધારે અસરગ્રસ્ત બનતાં રહ્યાં.
વિદ્વાનોનો એક વર્ગ
આજે સ્વીકારે છે કે સાંપ્રદાયિક તાર્કીકતાના અંચળા હેઠળ દુનિયામાં કેટલાંય યુધ્ધો
ખેલાઈ ચૂક્યાં છે.એમાનાં મોટા ભાગનાં યુધ્ધોનાં મૂળ ચૂટેલાં લોકો અને વરદાયિત
ભૂમિની માન્યતાઓના તાત્વિક ફરકમાં, અને તેમાંથી જન્મેલાં
મધ્યકાલીન ધર્મયુધ્ધોમાં, રહેલ છે.માનવીના જીવનનાં ઘટનાચક્રમાંથી મારગ કાઢવા માટે હવે સાપેક્ષ સત્યો
અને વ્યક્તિગત કે સાંસ્કૃતિક વૃતાંતો વિષે હવે અનુઆધુનિક વિદ્વાનો અને
માનસશાસ્ત્રીઓમાં ચર્ચાઓ થવા લગી છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે પુરાણો જુઠાણાં
નથી પણ માનવ સમાજનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે આવશ્યક એવાં વ્યક્તિગત કે
સામુહિક સત્યો છે તેમ સ્વીકારાવા લાગ્યું છે.
'જૂઠા' ભગવાનની સાથે 'સાચા' ભગવાનને પણ ફેકીં
દેવાની જરીપુરાણી માનસીકતામાંથી આપણે બહાર આવવું પડશે. આપણે આપણી ઉભરતી નવી પેઢીને
શીખવાડવું પડશે કે માનવ સામાજ હિંદુ કે ઈસ્લામ કે આ કે પેલા ધરમ વડે નહીં પણ
નિરપેક્ષ તેમ જ સાપેક્ષ સત્યો વડે ઘડાય છે. આપણે વિવાદોના નકારાત્મક ઝઘડાઓમાંથી
સંવાદોની સકારાત્મક ચર્ચા તરફ વળવું પડશે, જ્યાં ભલે આપણાંથી
સાવ જ અલગ એવાં બીજાંનાં 'સત્ય'ને આપણે સમજવું અને
સ્વીકારવું પડશે.
ધ સ્પીકીંગ
ટ્રી માં ૧૦ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
§ દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, What Is ‘Indianisation’ Of Education?નો અનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૦ મે, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો