શિક્ષક દિનને ઉસ્તાદ ઉત્સવના નામથી ઓળખો તો વિદ્યાર્થીઓ કે
શિક્ષકો કે શિક્ષણ વ્યવસ્થાને કંઈ ફેર ન પડે. એ દિવસને ગુરુ ઉત્સવ તરીકે ઉજવવાના
પ્રસ્તાવને કારણે ચિંતાનાં જે વાદળો ઉમટ્યાં એ ઊઠ્યાં હોત ખરા?
'હિંદુ' જણાતાં
વૈકલ્પિક 'હિંદી' અનુવાદના
પ્રસ્તાવ માત્રથી બૌધ્ધિકોના એક વર્ગને સીધાં નાઝી જર્મની અને એક વર્ગના મતને બીજા
પર થોપી કાઢવાના કાર્યક્રમનો ભાગ જ કેમ દેખાતો હશે? જેમ
કે કોઈ ઈસ્લામિક' કે 'ઉર્દુ' અનુવાદને
કારણે કેટલાક બૌધ્ધિકોને અંતિમવાદી
જિહાદીઓ જે નજરે ચડવા લાગી પડે છે.
આપણાં બાળકોને આપણે જમણેરી વિચારધારામાં પલટાતાં રોકવા માટે
જેટલાં સચિંત જણાઈએ છીએ તેટલાં ડાબેરી વિચારધારામાં કે બિનસાંપ્રદાયિક કે
વૈજ્ઞાનિક કે વૈશ્વિક કે લઘુમતી કે ઉદારમતવાદી કે નાસ્તિક મતરોપણમાં પલટાવા વિષે
ચિંતિત નથી જણાતાં. એનું કારણ એ હોઈ શકે કે આજનું શિક્ષણ કોઈને કોઈ મતરોપણ તરફ તો
ઢળતું હોય જ છે !
આજનું શિક્ષણ વિચાર શક્તિને ખુલ્લી કરવાને બદલે તેને ઘડતું હોય
એવું વધારે બનતું ગયું છે. સાહિત્ય અને ઈતિહાસ ને પ્રચારનાં માધ્યમોમાં ફેરવાતાં
જતાં હોય એમ જણાય છે.
જેમાં શિક્ષક સર્વશક્તિમાન અને આદરણીય ગણાતા એવી પરંપરાગત
શિક્ષણ વ્યવસ્થાને આજના શિક્ષણશાસ્રીઓ ભલે સ્વીકારે નહીં, પણ
આજની શિક્ષણવ્યવસ્થા મોટા ભાગે શિક્ષકને સાવ જ પ્રભાવવિહોણો કરી મૂકવાની સાથે
જેમને ખૂદને જ શું જોઈએ છે તે ખબર નથી એવા વિદ્યાર્થીઓની કે બહુ જ મહેચ્છાધારી
માતાપિતાઓ કે શિક્ષણને માત્ર વેપારની નજરે
જોતાં સંચાલક મંડળોને મોહતાજ બની જતી હોય
એમ જણાય છે. ક્ષમતા કે કાબેલિયત જેવા મુદ્દાઓ કે સમાજના દરેક વર્ગ સુધી શિક્ષણના
વ્યાપ જેવા મુદ્દાઓ વધારે ચર્ચાતા રહે છે પણ શિક્ષણ વ્યવસ્થામાં રાજકીય
કાવાદાવાનાં બદલતાં રહેતાં કેન્દ્રોના પ્રભાવ બહુ ચર્ચાતા નથી જોવા મળતા.
જ્યાં ગુરુની સામે નતમસ્ત્ક જ રહેવું પડતું એ ગુરુ-શિષ્ય પરંપરા
કે મોટા ભાગના કિસ્સાઓમાં જેમાં પાદરીઓ આચાર્ય તરીકે સોટી લઈને પાઠ ભણાવતા એવી
પરંપરાગત શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકના હાથમાં બહુ વધારે સત્તા રહેતી એ વાત તો ખરી.
તેને કંઈક સ્વરૂપે સુધારવાની જરૂર તો હતી કે કેમકે તેમાં ગેરઉપયોગ વધારે થવાની
સંભાવનાઓ ઘણી રહેતી હતી. જ્યારે સામે છેડે, આજની
આધુનિક શિક્ષણ વ્યવસ્થા ઊંચી ફી અને વિદ્યાર્થી પર ખર્ચનું ભારણ કે પરીક્ષાલક્ષી
સ્પર્ધાત્મક વાતાવરણ જેવા પ્રવાહોને ધુમાડે જતી જણાય છે.
આજે કેટલીક સંસ્થાઓમાં તો શુ ભણવું છે તે વિદ્યાર્થીઓ નક્કી
કરતાં હોય છે. ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ્સના એક શિક્ષક ખેદ કરતા હતા કે આજનાં
વિદ્યાર્થીઓને સંકલનકલાનાં સર્વકાલીન શ્રેષ્ઠ
મનાતા એડીટર્સની ફિલ્મો નથી જોવી. તેમને તો રસ એટલો જ છે કે જેને લાખો
હિટ્સ મળે અને એમાંથી ફટાફટ ઢગલો નાણાં કમાઈ શકે એવા યુટ્યુબ વિડીઓનું સંકલન કેમ
કરવું. મૅનેજમૅન્ટ ઇન્સ્ટિટ્યુટ્સમાં જ્ઞાનને નહીં પણ પ્લેસમેંટને વધારે મહત્ત્વ
મળે છે. વિદ્યાર્થીઓનાં પરિણામો વધારે નકારાત્મક થવા માટે શિક્ષકને જવાબદાર ઠરાવાય છે.
આજે જ્ઞાનકેન્દ્રી, કે
નવું નવું કલ્પી શકતી, વિચારશક્તિની
અસરકારકતાના માપદંડ સંભવિત નાણાં કમાણી કે સત્તાના કેન્દ્ર તરફની પહોંચ જેવાં
પરિમાણો બની ગયાં છે. પરંપરાગત શિક્ષક જો પોતાના પ્રભાવ ઊભો કરવા તરફ વધારે ઢળતાં
હતાં તો આજનાં શિક્ષકની ફરિયાદ છે કે હવે વિદ્યાર્થી હાવી બની ગયાં છે. પરંપરાગત
શિક્ષક કડક, સોટીધારી પાત્ર હતું તો આજનો શિક્ષક વિદ્યાથી
કે વાલીઓ કે મૅનેજમૅન્ટ કે નિયમનકારોની ચાપલુસીમાં ઉલઝેલું પાત્ર બની ગયું છે.
પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાનો વિદ્ર્યાર્થી સજા ભયના ઓથારમાં રહેતો તો આજનો શિક્ષક
વિદ્યાર્થી કે વાલીમંડળના ધક્કે ચડવાના ભયની છાયામાં જીવે છે. તો વળી આજનાં વાલીઓ
તો માને છે શિક્ષકપર ઢગલો નાણાં ફેંકીને કે આધુનિકતમ સગવડો ધરાવતી સંસ્થાઓમાં
પોતાનાં સંતાનને મૂકવાથી, વિના પ્રયત્ને જ
તેમનાં સંતાનો પ્રખર પ્રતિભાઓ બની જશે.
ભારતીય શિક્ષક કે હિદુત્વ પ્રભાવિત ગુરુ કે જુનવાણી ઉસ્તાદ જેવી છીછરી ચર્ચાઓ
પ્રેરતાં પ્રતિકોના વિવાદમાં ઉલઝી જવાને બદલે 'કાર્યશીલ-ઉધ્ધારકો'ની
દૃષ્ટિમાં જે નથી ચડતા એવા શિક્ષણના પાયા પ્રશ્નો પર વિચાર કેમ કરી શકાય એ વિષે
ચિંતા કરવાનો આ સમય જણાય છે.
§
ધ મિડ ડેમાં ૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Ustad Utsavનો અનુવાદ
§
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૬ ડીસેમ્બર, ૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો